SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ ભારતધમાં @ાને દેશ બહાર કાઇ ટાપુમાં દેશનકાલ કરવામાં આવે તે હિન્દુધર્મની પીડા એની મેળે ટળી જાય. આપણા રાજા પણ એમજ વિચારે છે કે, ‘એક્સ્ટ્રીમીઝમ’ તેા ફેકી દેવાય એવા એક પદાર્થ છે ને તે દુષ્ટ લેાકેાએ પેાતાની લેબેરેટરીમાં કૃત્રિમ ઉપાયે અનાવી કાઢ્યો છે, તેથી કેટલાક દલપતિને પેાલીસ કેટમાં સાંપી દીધા એટલે એ ઉત્પાતના નિકાલ આવશે. પરંતુ અસલ વાત તે અંદરની છે. આંખે દેખાય એવી એ ચીજ નથી; એ તેા અંદર ઉતયે સમજાય એવી છે. જે સત્ય અવ્યક્ત હોય એ જ્યારે પ્રથમ અકસ્માત્ વ્યક્ત થાય ત્યારે એકદમ મૃદુ મદ મધુર ભાવે થાય નહિ, વાવાઝોડાની પેઠે આવી પડે, કારણ કે અ-સામંજસ્યને પ્રહાર જ એને જગાડી દે છે. આપણા દેશમાં થાડા વખતથી ઇતિહાસના શિક્ષણથી, જવા આવવાના અને વ્યાપાર-વ્યવસાયના સુયેાગથી, એકરાજ્યશાસનના ઐકયથી, સાહિત્યના અભ્યુદયથી અને કાંગ્રેસની ચેષ્ટાથી આપણે અંદર અંદર સમજતા થયા છીએ કે, આપણા દેશ એક છે, આપણી જાતિ એક છે, સુખદુઃખમાં આપણી દશા એક છે અને પરસ્પરને પરમઆત્મીય ન માનીએ અને પાસે તાણી ન લઇએ તે આપણું કશું મગળ ન થાય. જાણુતા તેા હતા, પણ એ અખંડ ઐક્યની મૂર્તિને સાક્ષાત્ સત્યરૂપે દેખી શકતા નહાતા; એતે માત્ર વિચારને વિષય હતા. એટલા માટે સમસ્ત દેશ એક છે એમ માન્યા છતાં, મનુષ્ય દેશને માટે જેટલું આપી શકે, જેટલું સહી શકે, જેટલું કરી શકે તેમાંનું આપણે કશું કરતા નહિ, એવા ભાવ હજી યે કેટલાક દિવસ ચાલત. એવે સમયે લાડ કર્ઝને આવીને પડદા એવા બળથી ખેચેા કે જે નેપથ્યમાં હતું તે હવે કશું ય છૂપું રહ્યું નહિ. એક બંગાળાના બે કરવાના હુકમ છૂટયા કે તરતજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy