SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ બહુમુખી રાજવહીવટ ૩ ભારતવષ મારા છે, આજે અંગ્રેજ પ્રજા જાણે છે કે, ભારતવ અમારા બધાના છે-એક રાજકુટુબ જ હિં, પશુ સમસ્ત અગ્રેજ પ્રજા ભારતવષ વડે પૈસાદાર બની ગઇ છે. ખૂબ સ`ભવ છે કે, માદશાહને જુલમ બહુ હશે પરંતુ આજે જુલમ નથી, પણ બાજે છે. હાથીની પીઠે મહાવત બેસીને વચ્ચે વચ્ચે તેને અંકુશ મારે તે હાથીને સારા લાગે નહિ. પણ મહાવતને બદલે બીજા એક આખા હાથીને પીઠ પર ચઢાવીને ખે'ચવા પડે, ત્યારે હવે મહાવતના અ’કુશના માર ખાવા પડતા નથી એમ માનીને એ રાજી થાય ના. એકજ દેવની પૂજાને માટે થાળમાં ફૂલ સજાવવાનાં હોય, ત્યારે ફૂલના ઢગલા કરી શકાય, એ ફૂલ વીણનારને મહેનત પડે એ તે દેખીતુંજ છે. પણ તેત્રીસ કરોડ દેવતાને એક એક આખુ ફૂલ નહિ, પણ ફૂલની એક એક પાંખડી જ ચઢાવવાની હોય ત્યારે દેખાય તેા નાની, પણ કામ કંઇ સહેલું પડે નહિ. અને એ એક એક પાંખડી એક જગાએ એકઠી કરવી કઠણ થઇ પડે ત્યારે બીજા કાઇને દોષ દેવા કરતાં પેાતાના નશીખને દોષ દેવાનું મન થાય. આપણે અહી કોઇને દોષ દેવાની વાતા કરતા નથી. મેગલ કરતાં અત્યારના રાજકર્તા સારા કે નહિ તે મામતના વિચાર કરવાથી કઇ ખાસ લાભ તે નથી. તા પણ સ્થિતિ ખરાખર જાણી હોય તે અનેક નકામી આશા ને નકામા પ્રયત્નમાંથી ખચીએ તે પણ એક લાભ તે ખરા. ધારો કે, આપણે આક્ષેપ કરી મરીએ છીએ કે, દેશની મેાટી મેાટી નાકરીએ ગેરાઓના નશીએ જઇ પડી છે એના ઉપાય શે! ? આપણે ધારીએ છીએ કે, વિલાયત જઈને ઘેર ઘેર આપણાં દુ:ખ રડતા ફરીએ તે આપણી સદ્ગતિ થાય. પણ યાદ રાખવુ` જોઇશે કે, જેની વિરુદ્ધ આપણે ફરિ યાદ કરવાની છે તેનેજ ખારણે ફરિયાદ કરવા જઇએ છીએ. બાદશાહના અમલમાં આપણે વજીર થતા, સેનાપતિ થતા, દેશનું કારભારૂં કરતા. આજે એ વાત આપણા નસીખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy