SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ભારતધર્મ સ્વાર્થ ત્યાગની જરૂર છે, તેને માટે બેલબેલ કરવાથી કંઈ વળે નહિ; એ સૌ વાતો સારી રીતે સમજવાને વિધાતા દુઃખ મોકલે. જયાં સુધી નહિ સમજીએ ત્યાં સુધી દુઃખ ઉપર દુઃખથી ને અપમાન ઉપર અપમાનથી અભિભૂત થઈ જઈશું. પ્રમથ તે એ વાત આપણે સાદી રીતે સમજવી જોઈશે કે, કેઈ જે કંઈ શંકા મનમાં રાખીને આપણું ઐક્યના માર્ગમાં યથાસંભવ કાંટા ઝટવા તૈયાર થાય, તે એ શંકાને પ્રતિવાદ વડે આપણે કેવી રીતે દૂર કરી શકીએ? સભાઓમાં આપણે એવાં કેવાં વાક્યોનું ઇંદ્રજાળ રચીએ કે જેથી તેમને ક્ષણમાત્રમાં આશ્વાસન મળે? આપણે શું એમ કહી શકીશું કે, અંગ્રેજ અનંતકાળ આપણને શાસન નીચે રાખશે એમાંજ આપણું શ્રેય છે ? કદી કહીએ તે પણ અંગ્રેજ શું એ ભીરુ ને બુદ્ધિહીન છે કે એવી વાત ઉપર ક્ષણ પણ વિશ્વાસ કરે? આપણે એ વાત કહેવી જ જોઈશે અને ના કહીએ તે પણ એ તે સ્પષ્ટ જ છે કે, જ્યાં સુધી આપણી વિવિધ જાતિઓમાં ઐકય સાધનની શકિત યથાર્થ ભાવે-સ્થાયીભાવે પેદા ન થાય, ત્યાં સુધી અંગ્રેજનું રાજત્વ આપણે માટે જરૂરનું છે, પણ ત્યાર પછી બીજે જ દિવસે નહિ. અંગ્રેજ જે મમતાથી મુગ્ધ થઈ પોતાની જાતિના સ્વાર્થ ઉપર જ દષ્ટિ રાખીએ સ્વાર્થને પછી ભલેને ગમે એવું મેટું નામ આપે, ભલેને એને શાહીવાદ જ કહેજે સ્વાર્થ ઉપર જ દષ્ટિ રાખી એમ કહે કે અમારા ભારત રાજ્યને અમે પાકું ચિસ્થાયી કરીશું, અમે સમસ્ત ભારતવર્ષને એક થવા દેવાની નીતિ ગ્રહણ કરીશું નહિ, ત્યારે એને તે જવાબ છે ? કઠિયારે જ્યારે ઝાડની ડાળ કાપે, ત્યારે જે વનસ્પતિ બેલેઃ “આહા, શું કરે છે, એમ તે અમારાં ડાળપાંદડાં ચાલ્યાં જશે !” તે કઠિયારે જવાબ દે કે “ડાળ કપાય છે તે શું હું નથી જાણતું ? હું શું બાળક છું?” અને છતાયે તર્કની ઉપર ભરોસે રાખી રહી શકાય ? આપણે જાણીએ છીએ કે, પાર્લામેન્ટમાં તર્ક થાય છે. ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy