SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ સુધાબંદુ ૧ લું ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણરૂપે માનનારા-તમે તમારી કઈ ઇદ્રિયદ્વારા પ્રત્યક્ષ કર્યું કે જીવ ઉત્પન્ન થાય છે? શું તમને નાકથી એવી ગંધ આવી ગઈ કે જેથી તમને લાગ્યું કે આ જીવ ઉત્પન્ન થયે? કે-કાનથી કંઈ વિશિષ્ટ પ્રકારને અવાજ સાંભળ્યું કે આંખથી કંઈ અવનવું નીહાળ્યું, અથવા તો જીભમાં કંઈ એ સ્વાદ આવી ગયો કે જેથી તમારે કહેવું પડયું કે આ જીવ પેદા થયે? આ બધાને ઉત્તર એ ભાઈ પાસે મોન સિવાય બીજો કંઈજ નથી ! અને જ્યારે પાંચ ઇંદ્રિયમાંથી એકે દ્વારા જીવની ઉત્પત્તિનું પ્રત્યક્ષ જ્ઞાન નથી થયું તે ભાઈ સાહેબ, તમે શા ઉપરથી કહે છે કે જીવ ઉત્પન્ન થાય છે નાશ પામે છે વિગેરે. વળી જીવનજ જ્યારે તમે તમારા ઇંદ્રિય પ્રત્યક્ષથી પ્રત્યક્ષ નથી કરી શકતા તે અના ઉત્પન્ન થવાની તે વાત જ શી કરવી : જ્યાં લુગડાંજ ન હોય ત્યાં પહેરવાની વાત જ શી કરવાની હોય? પહેલાં તે એજ નકકી કરે કે જીવ નામની વસ્તુ છે અને તે ઇંદ્રિયદ્વારા પ્રત્યક્ષ છે. પછી વિચાર કરીશું કે એ પાંચ ભૂતમાંથી પેદા થયે કે સાત ભુતામાંથી ઉભા થયે, અને જીવને ઇન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ માનનાર ભાઈને આપણે આટલું પણું અવશ્ય પૂછી શકીએ કે-ભાઈ-એ પ્રત્યક્ષ પ્રમાણુ સિદ્ધ તમારા જીવનમાં તમે કદી કઈ રૂપ-રંગનું દર્શન કર્યું, કે ગંધને અનુભવ કર્યો, કેઈ સ્પર્શનું પ્રત્યક્ષ કર્યું, કોઈ રસને સ્વાદ કર્યો કે કઈ અવાજ પણ સાંભળ્યો ? અને નહિ તે-એ પાંચ વિષયને અભાવ છતાં તમે એનું પ્રત્યક્ષ કામ કયા રસ્તે કર્યું? માત્ર ચેતનાથી એમ કહે છે એ પણ વાત ભૂલવી ન જોઈએ કે ચેતના એ ઇંદ્રિયને વિષય નથી, કારણ કે એમાં ઇંદ્રિયના વિષયો મળતા નથી, અને છતાંય જે ચેતનાને માનવીજ હાય તે તમારે તમારા પ્રમાણની મર્યાદાને પણ વિશાળ કર્યા વગર છૂટકે જ નથી, અને એ મર્યાદાને વિશાળ કરવાને અર્થ એજ કે-તમે અત્યાર સુધી જે ઈદ્રિય પ્રત્યક્ષને જ પ્રમાણ માનવાને માહ રાખતા હતા તે આને દેશવટો આપીને કેઈ ઇંદ્રિયથી ર નું કોઈ અતીન્દ્રિય નામનું પણ પ્રમાણે માનવું પડશે અને જ્યારે અતીંદ્રિય પ્રમાણ માન્યું છે એ પ્રમાણને કઈ અલૈંદ્રિય એ વિષય પણ માને જ રહ્યો, કારણ કે ભિન્ન ભિન્ન પ્રકારના પદાર્થોજ ભિન્ન ભિન્ન પ્રકારના પ્રમાણના નિયામક છે. જે બધાય પદાર્થો એકજ સરખા, સદાય માટે હાથ તે જુદા પ્રમાણેની કલ્પના પણ ન કરવી પડે, પણ પદાર્થો અનેક પ્રકારના છે માટે તેને ગ્રહણ કરનારા પ્રમાણે પણ અનેક હોવા જ જોઈએ, અને જ્યારે અતીંદ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય, પદાર્થ માન્યા તે પછી બાકી શું રહ્યું ? વસ્તુસ્થિતિ આવી હોવા છતાં જીવને ઉત્પન થત અને નાશ થતે કહે તે વાત કણ માની શકે? જે છોકરાને ઘર બહાર પગ મૂકવાની પણ બાધા હોય અને તે આવીને કહે કે નદીના કાંઠે ઘીગોળના ગાડાં લુંટાય છે. જેને જોઈએ તે લઈ આવે! ભલા અકકલના ઓથમીર માણસ સિવાય એ છોકરાની વાતને બીજો કેણુ સાચી માનશે અને મફતીયા ઘીગળની લુંટ કરવા જશે? વેદાન્તીઃ પ્રચ્છન્ન ચાર્વાક જશે ? આ તે થઈ પિતાની જાતને છડેચોક નાસ્તિક કહીને સંબંધનારાઓની વાત ! પણ જરા, એ નાસ્તિક કરતાંય મહા નાસ્તિક સમા અથવા તે પ્રચ્છન્ન નાસ્તિક સમા પેલા વેદાંતીઓની વાત વિચારીએ ! તેઓ કહે છે કે- “હજું ગ્રહ, નr " બ્રહ્મ એ સાચું અને જગત એ છે તું ! એટલે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy