SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ * આનંદ-સુધાસિંધુ (૩૨૦). સુધાબંદુ ૧ હું, આત્માને શરીરને વિયોગ-મૃત્યુ જેમ ચોક્કસ લખાવ્યું છે તે જ પ્રમાણે સગાંસંબંધીએ સંબંધીને ત્યાગ એકવાર સહન કરવાનો તે ભાગ્યમાં લખાવેજ છે. છી એ ત્યાગ આડે પગે હે કે ઉભે પગે ! આખા જગતમાં દરેક વ્યક્તિને શ્રીમંતને, ગરીબને, સ્ત્રી, પુરુષને, શેઠને, સેવકને, સઘળાનેજ એકવાર હંમેશ માટે ઘરમાંથી બહાર તે નીકળવાનું જ છે. કોઈ માને પુત એ નથી પાકો કે જે આ દેહથીજ કાયમ માટે ઘરમાં જ રહા હૈય! મનુષ્યને આ હંમેશને ત્યાગ ગમે છે કે નથી ગમતે તેને સવાલ જ નથી, તે ઘરમાંથી નીકળવા ચાહે છે કે નથી ચહાતે એ વાત કેઈ પૂછતું જ નથી. વાત એકજ પૂછાય છે કે કર્મ સંબંધને અંગે મૃત્યુ આવેલ છે કે નહિ? અને ત્યાં એ પ્રશ્નને અગે હકમનામ થાય છે કે કાળ તરતજ તેની બજાવણું કરી નાખે છે. આ બેલીફ રૂપીઓ ન લે! બેલીફને રૂપીઓ આપી દે તે તે અઈ ૫ણું સમજાવીને બજાવણ કર્યા વિના પાછો જાય. આ બેલીફ એ છે કે તે છોડતા જ નથી. ત્યાગ બે રીતે શક્ય છે. એક ઉભે પગે અને બીજો આડે પગે. એક ત્યાગ પ્રતિષ્ઠાવાળે છે અને તેથી તે માનભેરનો છે, બીજે ત્યાગ બળાત્કારે છે તેથી ત્યાં અપ્રતિષ્ઠા છે. દેહ મેહ રાખવા માગે છે તે સગાંસંબંધી પૈસેટકે એ સઘળામાં ગુંચવાઈ રહેવા માગે છે. આપણે એને વિરોધ કરે અને આત્મકલ્યાણની ભાવનાથી સઘળાને ત્યાગ કરીને ચાલતા નીકળી પડવું તે ઉભા પગને ત્યાગ છે. આત્માને સંસારની માયા એળે જેવી વળગેલી છે એ જળે છૂટતી નથી ત્યાં સુધી “ભાગતા ચેરની લંગોટી તે લગેટી, પાટો બાંધવા તે કામ લાગશે.” એમ ધારીને જે હાથમાં આવે-જે નીકળે તેને કાઢવું એ શ્રેયસ્કર છે. આ ઉપરથી જ પ્રાચીન કાળમાં એવી શંકા કરનારા હતા કે બાળકે દીક્ષા લે તે તે ઠીક, પરંતુ વૃદ્ધ દીક્ષા લે તેને અર્થ શો ? દરતી સંસ્કારની બળવ-તરતા. બાળકને હજી દુનિયાદારીને ડાઘ બેઠેલો હેતું નથી. તેને પરિવાર, વિષય ઈત્યાદિનું ઝેર ચઢયું નથી. તેને ધનને રાગ લાગે નથી એવા બાળકને જે રસ્તે લઈ જાઓ, તેને જે રીતે કેળવે તે રીતે તે કેળવાશે. બાળકમાં સંસ્કાર પહેલા નંબરના હોય છેજ. પારસી મુસલમાનના છોકરાઓ મોટા થાય છે ત્યારથી જ માંસ ખાવા શીખે છે પરંતુ હિંદુના બાળકોને નાની વયથી જ મધમાં કુદરતીજ ત્યાગ હેય છે અને એ ત્યાગ તેમને ભાંગવાને સમયજ આવતું નથી. વિચાર કરશે તે માલમ પડશે કે એનું કારણ એકજ છે અને તે એ કે તેને સરકાર જ એવા પડે છે કે સાધારણ રીતે પહેલેથી જ મધમાંસને વિરોધ કરવાને અર્થે તે ટેવાએલે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જેનામાં ખરાબ સંસ્કારજ પડ્યા નથી તેને સુધારવાની ચિંતાજ ઓછી છે, જેનામાં ખરાબ સંસ્કારજ પડ્યા નથી તેને સુધાર એ સરળ છે. બાલ્યાવસ્થા એ દરિયામાંથી નીકળેલા ભાવિકપણે જ સ્વચ્છ એવા મિતીના સમાન છે અને તેથી જ તે દીક્ષાને માટે બેશક ઉત્તમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy