SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ માન‘દ-સુધાસિ’ધુ. (૨૩૪) સુધાબિંદુ ૧ લું. ઝુંપડીના વારસે સામાન્ય મનુષ્યને છેકરા મેળવેજ છે તેવીજ એદરકારીપૂર્વક રાજ્યના વારસદાર રાજ્ય મેળવે છે, પર`તુ એ રાજય મેળવવાની મહત્તાને તે તેને ભાગ્યે પણ ખ્યાલ આવતાજ નથી !! રાજગાદી મેળવવાની મુશ્કેલી રાજકુમાર સમજી શકતા નથી, તેજ પ્રમાણે રાજય‘શમાં પોતાને જન્મ આપનારૂં પોતાનું ભાગ્ય પણ કેટલું અને કેવું બળવાન્ હશે તે પણુ રાજકુમારના ખ્યાલમાં આવી શકતું નથી !! જેમ રાજકુમારને રાજ્ય કેવી મુશ્કેલીએ મળે છે તેને ખ્યાલ હાતા નથી તેજ પ્રમાણે મનુષ્યને પણ મનુષ્યભવ કેવી મુશ્કેલીથી-કેવા ભાગ્યને પરિણામે મળે છે તેના ખ્યાલ આવતે જ નથી, મનુષ્યપણું એ દેવતાઓને પણ દુલ ભ છે. આપણે હમણાંજ જોઇ આવ્યા છીએ કે જે દેવતાએ આવે છે તે સઘળાજ માટે ભાગે તિય ચચેનિમાં જાય છે અને બાકીના થાડાજ મનુષ્યક્ષેત્રમાં આવે છે આથી માલમ પડે છે કે મનુષ્યભવ તે દેવતાને પણ દુર્લભ છે, પરંતુ આવેા મનુષ્યભવ દુલ ભ ાવા છતાં તેની અજ્ઞાનથી ઘેરાએલા મનુષ્યને ખબર પડતી નથી !! રાજકુમારને કાઇ ચાર પેડા આપવાના કરે અને રાજ લખી માગે તા તે ખાળકુમાર જરૂર ચાર પેંડા લઈને પેાતાનું રાજ લખી આપે છે કારણ કે તેને તેની અજ્ઞાન અવસ્થા એમ સમજાવે છે કે રાજ્ય કરતાં આ પે'ડાની મિઠાશ વધારે સારી છે !! પેંડાની મિઠાશ તેા ક્ષણિક છે, તે નાશ પામવાવાળી છે અને તે મિઠાશ રાગોને ઉત્પન્ન કરવાવાળી છે એવુ‘ જાણતા નથી ! રાજકુમાર મનુષ્ય એટલે અજ્ઞાન રાજકુમાર. મનુષ્યની સ્થિતિ પણ આ અજ્ઞાન રાજકુમારના જેવીજ છે. મનુષ્ય પેાતાના મનુષ્યત્વની ગહનતાને સમજતા નથી અને તે સ્પર્શના, રસના કે વિષયનાં સુખા મળતાં ઢાય તે તે માટે પેાતાની જિંદગી લખી આપવા તૈયાર થાય છે અર્થાત્ મનુષ્ય વિષયવાસનારૂપી પે'ડાની મિઠાશને અજ્ઞાનવશ માન્ય રાખે છે અને રાજ્ય લખી આપવારૂપી મનુષ્યભવ વેઢી મારે છે ! જેમ પે'ડામાં મિઠાશ છે પર ંતુ તે મિઠાશ ક્ષણિક હાઇ પરિણામે રાગેને જન્માવનારી છે તેજ પ્રમાણે વિષયસુખાની મિઠાશ પણ ક્ષણિક હાઇ તે પરિણામે શાક, રાગ અને દુર્ગતિને આપનારી છે એમ મનુષ્ય પોતાની અજ્ઞાનતાને લીધે જાણી શકતા નથી, અને એ મિઠાશની પાછળ પેાતાનુ માનવપણું વેડી મારે છે! રાજકુમાર પાતાને જે રાજ્ય મળવાનું છે તે એક પે'ડાને માટે આપી દેવા તૈયાર થાય છે. તેનું કારણ તેનું અજ્ઞાન છે, જે બાળક એક પે'ડા માટે, ખરીની ટાપલી માટે, સુંદર ફૂલ માટે, મનગમતા ફળ માટે કે શાભિતા વાજા માટે રાજ લખી આપે છે તે બાળક એટલાજ માટે એવું વર્તન કરે છે કે રાજ્ય મેળવવામાં કેવી મુશ્કેલી છે તથા રાજકુમાર તરીકે અવતરવામાં કેવા સદ્ભાગ્યની જરૂર છે તેથી તે અજ્ઞાન છે. એજ પ્રમાણે પાંચ ઇન્દ્રિયાના સુખને માટે જે મનુષ્ય, મનુષ્યપણું વેઠી નાખે છે; તે પણ મનુષ્યભવ કેવા દુ ભ છે, મનુષ્યભવ મેળવવા માટે કેવું મળવાનું નસીબ જરૂરી છે અને માનવભવ કેટલે કિંમતી છે તેનાથી અજ્ઞાત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy