SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - આનંદ-સુધાસિંધુ. (૧૯૨) સુધાબિંદુ ૧ લું. પતિત થવાના નથી પરંતુ આચારેજ પતિત થવાના છે, માટે જે આજે તે દીક્ષા લેશે તો કાલે તે પડશે ખરે, પરંતુ આત્મમાર્ગે ચઢવાનો સ્વાદ તેને લાગ્યું હશે તે વળી તે એ માર્ગે આગળ ચઢશે. એમ ધારીને અરે એમ જાણીને જ ભગવાને તેને દીક્ષા આપી હતી. હવે કઈ એમ કહેશે કે જે ભગવાને છેવટે તે તેને દીક્ષા આપીજ હતી તે પછી, “તું પતિત થશે તારા ભેગાવની કર્મ હજી બાકી છે!” એમ તેમણે નંદિષેણજીને શા માટે કહ્યું હતું? આ શંકાને જવાબ એ છે કે પ્રભુનું નદિષેણ પ્રતિનું કથન નંદિષેણને ચારિત્રને માગે તેને વીર્યો લાસ વધારે ફરાવવાને માટે કારણભૂત થાય એ હેતુથી હતું. હવે વિચાર કરો કે આજકાલ એવા આચારપતિત કેટલા છે અને પરિણામ પતિત કેટલા છે? જે આચારથી પતિત હોય તે તે બીજે કયારે પતિત થાય છે અને તે પણ જ્યારે મારા જેવો બને છે. એ વસ્તુ નથી જોતા. તેઓ પોતે ક્રિયાથી પતિત હોય છે છતાં બીજે પતિત ન થાય તેમજ પોતે તે ઈચ્છે છે. જે પરિણામે પતિત છે તે પોતાના સંયોગે જગતને તપાસે છે અને બીજાને પણ પાડવા યત્ન કરે છે. પતનના કારણને માટે આવા માણસેજ જવાબદાર છે. આજના કાળા આખલાઓનું તુચ્છ તેફાન. એક કણબીને ત્યાં બે આખલા હતા. એક ધોળે અને બીજે કાળોબંને આખલા તેના શરીરના રંગ પ્રમાણેજ ગુણમાં પણ કાળા મેશ હતા. આ કારણથી કણબી તે આખલાને સફેદ આખલા જેડે બાંધતે નહિ. એક રાતે ખાસ કારણસર કણબી રોકાઈ જવાથી તેના ઘરના માણસોએ બે આખલાને સાથે બાંધી દીધા! બીજે દહાડે પેલા ધેળા આખલાના સદગુણ કાળા આખલાએ શીખવાના તે બાજુએ રહ્યા પરંતુ કાળા આખલા પ્રમાણે જ પેલે ધોળે આખલો પણ કુદત થઈ ગયે, નંદિષેણુજી પરિણામ પતિત ન હતા તેનું પણ કારણ એ જ હતું કે તેઓ આવા કાળા આખલાના પરિચયમાં આવ્યા ન હતા એ યુગમાં પરિણામ પતિત ન હતા. પ્રાચીન કાળની આવી સ્થિતિ કાળા આખલાઓના ટેળાં એ સમયે ન હોવાનેજ આભારી છે. તે વખતે કાળા આખલાઓના ટેળાં ન હોવાથી આચારપતિને કઈ પરિણામ પતિત કરવા તૈયાર થતું ન હતું. પરિણામે પરિણામ પતિતે પતિતાવસ્થામાંથી પણ ધીમેધીમે પાછા ઉન્નત અવસ્થામાં આવી શકતા હતા. આદ્રકુમાર અને નદિષેણજી પણ આ રીતે કાળા આખલાના ટોળામાં સપડાવા પામ્યા ન હતા તેથી જ તેઓ સાધુઆચારથી પતિત થયા હતા છતાં પરિણામ પતિત થઈ શક્યા ન હતા અને યથાસમયે પાછા આત્મોન્નતિને પંથે ચઢી શકયા હતા. દીક્ષા ખરાબ છે અને સાધુઓ પઠાણ છે. હવે નંદિષણજીના સંબંધમાં શું થાય છે તે આગળ જુઓ. નંદિષેણુજી પોતે પડયા હતા. આચારપતિત થયા હતા, પરંતુ દીક્ષાજ ખરાબ છે સાધુએ કાબુલી છે, અને આગમે એ થાં છે એવું તેમણે કદી કહ્યું કે માન્યું ન હતું. મંદિરેણુજીએ પોતે પતિત થવાથી એવી પ્રતિજ્ઞા કરી હતી કે વેશ્યાને ત્યાં જે નવા ગ્રાહકે આવે તેમાંથી પ્રતિદિવસે મારે દસને પ્રતિબોધવા અને દસ વ્યકિતઓને પ્રતિબંધીને તેમને મારે દીક્ષા અપાવવી ત્યારેજ મારે ભેજન લેવું, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy