SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૧૦૧) સુષાબંદુ ૧ / હેત! મનન સિવાય, ચિંતન સિવાય, વિચાર સિવાય મન નામને પદાર્થ સામાન્ય લોકોમાં રહી શકતેજ નથી. અહીં ગયા વ્યાખ્યાનમાંની થેડી વાતોનું સ્મરણ કરે. પાછલા વ્યાખ્યાનમાં આપણે એ વાત નક્કી કરી આવ્યા છીએ કે તેરમે ગુણસ્થાનકે મનના પગલે છે પરંતુ તેમને મનન કરવાપણું હોતું નથી. મનનની આવશ્યકતા કેરે છે? જે આત્મા તેરમે ગુણસ્થાનકે વિરાજમાન છે તેવા આત્માને મનના પુદગલે માત્ર હોય છે પરંતુ બીજા માણસોને મનન ગ્ય પદાર્થોનું જેવું મનન કરવાનું હોય છે તેવું મનન કરવાનું તેમને હેતું નથી. અગિકેવળી દ્રવ્ય મનથી રહિત નથી તે દ્રવ્ય મન ધરાવે છે પરંતુ દ્રવ્ય મનના પુદગલેને આધારે જે મનન કરવાપણું હેય છે તેવું મનન કરવાનું તેમને હેતું નથી. મનન કરવાની સ્થિતિને અવકાશ ફક્ત બેજ રીતે સંભ છે. જ્ઞાનમાં ન્યૂનતા હોય કિંવા સાધ્યમાં ન્યૂનતા હોય તેવા આત્માને જ મનન કરવાની સ્થિતિને અવકાશ છે. જે આત્માને જ્ઞાનમાં પણ ન્યૂનતા રહેતી નથી અને જે આત્માને સાધ્યમાં પણ કશી ન્યૂનતા રહેલી નથી તેવા આત્માને કેઈપણ વસ્તુ કિવા સ્થિતિ પરત્વે મનન કરવાપણું હેતું નથી. મનન કિંવા વિચાર કોને કરવા પડે છે તેને વિચાર કરજે. કોઈ અજ્ઞાત વસ્તુ હોય તે જાણવા માટે અથાત્ કે ન જાણેલી વસ્તુને જાણવા માટે વિચારાની આવશ્યકતા રહે છે તેજ પ્રમાણે ન મેળવેલી વસ્તુને મેળવવી હોય તે તે માટે વિચારને અવકાશ રહે છેસોગિકેવળીને તેણે સઘળા પદાર્થોને જાણેલા હોવાથી, વિચાર કરવાની કશી જ જરૂર રહેતી નથી એ વાત તમે બરાબર સમજી શકશે. કેવળીએ મેક્ષની પણ દરકાર રાખતા નથી. કેટલાક શંકાકારે એવી શંકા કરે છે કે જેણે સઘળું જાણી લીધું છે તેને જાણવાનું કાંઈ બાકી ન હોવાને પરિણામે વિચાર કરવું પડતું નથી અને એ સિદ્ધાંત પ્રમાણે સગિકેવળી ભગવાનને પણ કાંઈ જાણવા બાકી ન હોવાથી તેને અંગે એ વિચાર ન કરે એ વાસ્તવિક છે પરંતુ અપ્રાપ્ય વરતુઓની સિદ્ધિને અંગે વિચાર કરવાને હેય છે અને સગિકેવળી ભગવાને જેક સઘળું જાણ્યું છે તે છતાં તેમને મોક્ષ મેળવવાનું બાકી છે તે પછી મોક્ષરૂપી અપ્રાપ્ય વસ્તુની સિદ્ધિ માટે અર્થાત્ મોક્ષ મેળવવાને અંગે તેઓને શા માટે વિચાર કરવાપણું બાકી રહેતું નથી? જે સાધ્યને અંગે વિચાર કરવાનું બાકી હોય છે તે મોક્ષરૂપી સાધ્યની સિદ્ધિ માટે મન, વચન અને કાયાના પેગોથી યુક્ત એવા કેવળી ભગવાનને પણ વિચાર કરવાપણું હેવું જ જોઈએ. શંકાકારના આ કથનને શાસ્ત્રો અતિશય સુંદર અને બુદ્ધિગમ્ય ઉત્તર પૂરો પાડે છે. શાસે ઉત્તર આપે છે કે કેવળી ભગવાને જેમ કાંઈ જાણવાનું બાકી નથી તેજ પ્રમાણે તેમને મેળવવાનું પણ કાંઈ બાકી નથીજ. કેવળી ભગવાનને મોક્ષ મળે છે એ વસ્તુ સૂર્યપ્રકાશના જેવી સત્ય અને સિદ્ધ છે પરંતુ મેક્ષને કેવળી ભગવાને પિતાનું સાધ્ય માનીને તે મેળવવાને માટે દરકાર રાખતા નથી. મોક્ષ મળે કિવા ભાવ ચાલુ રહે એની જરાપણુ દરકાર કવળી ભગવાનને હતી નથી એટલે જ એમ સિદ્ધ થાય છે કે સોગિકેવળીને પણ જેમ કાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy