________________
અહિંસા" ને નામે ઘર કરી બેઠેલી “ડરપકતા' ને દૂર કરવા સૂચવ્યું છે. લેખકે ખરેખર આ યુગનાં અનુકૂળ અવાજે, યુગધર્મને લક્ષમાં રાખી, જૈનત્વનું સાચું નૂર શેમાં છે તેને અભ્યાસ કરી આ “મુડદાલ” સમાજમાં ચૈતન્ય પ્રગટાવવા પગલાં ભર્યા છે, પ્રાપ્ત પ્રસંગને પીઈ જઈ-જીરવી લઈ સુખદુઃખમાં મનની સમતોલ-વૃત્તિ સાચવવાનાં આદર્શો સીચી “પચા વણકે’ને પુરૂષસિંહ બનવા પ્રેર્યા છે.
આત્માને પરમાત્મ પદ પર સ્થાપવાને-બનાવવાને વીર બોધપાઠ પદે પદે આવે છે હવે કેટલાં ભાગ્યશાળી જૈને આ સુર સાંભળશે?
જૈન ધર્મ એ તે સારાય વિશ્વની મિલ્કત છે. કોઈ સંપ્રદાય કે ટોળાંની-ગચ્છની નહિ! જે કઈ વીર
જૈનત્વ ને વરે તે જ જૈન....એવું વિશાળ સુચન કરતાં આ પુસ્તકની દરેક દરેક લીટી, આ કટોકટીનાં મામલામાં સાંપ્રદાયિક કુપમંડૂક ને ઝેરી પ્રવૃત્તિઓ થંભાવીને સૌ કોઈએ-જૈનેએ મનન કરવા જેવી છે.
આ પુસ્તકમાં, આશા પ્રેરતા યુવાન લેખકે પદે પદે જૈનત્વને “વીરતા'માં પરિણમાવી જૈને જાતિને તેની પૂરાણી રાજપૂતિનું કળાપૂર્વક ભાન કરાવ્યું છે,
અને “કાતિ' નાં કાળે ઘરમાં ભરાઈ રહીને રક્ષણ Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com