________________
આદર્શ જૈન
મને “બીજે કઈ આનંદ આપી શકે નહીં, હું જ મારા આનંદ-સુખને સૃષ્ટા છું. દરેક ધાર્મિક કૃત્ય હૃદયના ઉમળકાથી કરીશ. મારી મુખમુદ્રામાંથી જ દયા ને શાંતિ વહાવીશ. યતનાપૂર્વક દરેક વચન બોલીશ, સાવચેતીપૂર્વક સ્વતંત્રતાથી દરેક વિચાર હું કરીશ. લોકેષણ કે નૈતિક નિર્બળતા મારા સત્ય-કથનને કદાપિ ડારી શકે નહીં. પરિગ્રહનો ભાર, મને કચરી શકે નહિં. કે ચિત્તની શાંતિને કેઈ ડહેળી નાંખે નહીં.
હું રાતદિન જ્ઞાનપૂર્વક જાગ્રત રહીશ
હું હસીશ-જગતને ખૂબ હસાવીશ. હસાવી હસાવી સૌને આરામ આપીશ. આત્માની પ્રસન્નતા ચિરકાળ ખીલતી રાખી એ શીતળતાના આરે સૌને વિશ્રામ આપીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com