SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દાવો કરી તેનું પૃથ્થકરણ કરી કેટલાંક તારણો કાઢે છે. મનોચિકિત્સકો દેહિક અને મનોદૈહિક રોગોનો પોતાની કાર્યપદ્ધતિ દ્વારા ઉપચાર કરે છે. કોઈ પણ શારીરિક રોગ માનસિક રૂગ્ણતા સાથે સંબંધ ધરાવે છે. મનોચિકિત્સકો મન અને શરીરશુધ્ધિ સુધીના મર્યાદિત ઉપચાર કરે છે, જ્યારે દાર્શનિકોએ શરીરશુદ્ધિમાં અટકાયા વિના આત્મશુદ્ધિની ઉપચાર પ્રક્રિયાને અનિવાર્યપણે જોડી દીધી છે, કારણ કે વીતરાગ પરમાત્મા ભવરોગ નિવારણવાળા પરમ વૈદ્યરાજ છે. ફ્રોઈડવાદમાં જેમ શુભ વિચાર વિગેરેને શુભ સંકલ્પમાં પરિવર્તિત કરવામાં આવે છે એવી જ રીતે જૈન દર્શનમાં ભાવનાઓ અને વેશ્યાનું વર્ણન થયું છે. કર્મવાદના ચિંતનમાં ઉદવર્તન, ઉદીરણાથી સંક્રમણ વિગેરે અવસ્થાઓમાં કર્મનિર્જરા થાય છે. દ્રવ્ય અથવા ભાવમન દ્વારા અજાણતા પાપોનું સેવન થઈ જાય, અજાણતા અથવા અજાગ્રત અવસ્થામાં, સ્વપ્નમાં પાપોનું સેવન થઈ જાય તેવા સૂક્ષ્મ પાપોના પ્રાયશ્ચિત્ત માટે પણ જૈન આગમોમાં આવશ્યક સૂત્રમાં વિસ્તારથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ફ્રોઈડવાદના અચેતન મનની તુલના આપણે કાશ્મણ શરીર સાથે કરી શકીએ. આપણાં દમિત મન, વચન અને કાયાના વ્યાપારોનો સંબંધ કાર્મણ શરીર સાથે હોય છે. આજે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં જેટલાં પણ શોધકાર્યો થઈ રહ્યાં છે તે કામણ શરીર સુધી જ સીમિત છે, જ્યારે જૈન દર્શનના સૂત્રો અનુસાર ઔદારિક, તેજસ અને કાશ્મણ શરીરથી આગળ છે જીવાત્મા-શુદ્ધાત્મા. જૈન દર્શનમાં સંમોહનની વાત આવે છે, પણ તે આદર્શ સંમોહનના રૂપમાં આવે છે. મનોચિકિત્સક રોગીના શરીરને શિથિલ કરી અચેતન મનમાં ઘર કરી ગયેલી ચિંતા અને વિકારની જડ સુધી પહોંચે છે. જૈન આગમમાં આવશ્યક સૂત્ર અને અંતરતપમાં કાયોત્સર્ગની વિધિ બતાવવામાં આવી છે. કાયોત્સર્ગ એટલે કાયાને શિથિલ કરવી. આત્મસંમોહનની ક્રિયા, ધ્યાન સાથેની આ ક્રિયા દ્વારા, નીડરતા, વ્યસનમુક્તિ, એકાગ્રતા સાથે નિર્ણયશક્તિનો વિકાસ થાય છે. લોગસ્સ પણ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે જે આત્માથી પરમાત્મા સુધી પહોંચવાની શુદ્ધિકરણની પ્રક્રિયા દર્શાવે છે. લોગસ્સ આપણા અજાગ્રત મનની શક્તિઓ જાગૃત કરી આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચવામાં મદદ કરે છે. - ૬૫ -
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy