SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અને એમણે પૂછ્યું, “સંતોની દૃષ્ટિ કેવી હોય છે ?” “જ્ઞાની સંતપુરુષો દુનિયાને વિષમય નાગરૂપ જેવી સમજે છે. નાગને બહારથી સ્પર્શ કરીએ તો સુંદર અને કોમળ લાગે. દેખાવે આકર્ષક લાગે, પરંતુ એ આકર્ષણ અને સુંવાળાપણું આપણા માટે જીવલેણ બને છે. જે વસ્તુ સુંદર જણાય છે, તે જ વસ્તુ અંતે બંધનકર્તા નીવડે છે. આથી સંતોએ કહ્યું કે આવી વસ્તુ તરફથી મુખ ફેરવી લેવું અને પ્રભુમય વસ્તુ જ ગ્રહણ કરવી. પ્રલોભન કે આસક્તિ પતનનું કારણ બને છે.” રાજાને પોતાના વિશે જાણવાની ઇચ્છા થઈ, તેથી એણે કફ્યુશિયસને પૂછયું કે સાચો રાજપુરુષ કેવો હોય ? ત્યારે કફ્યુશિયસે સાચો રાજપુરુષ ક્યારેય એમ બોલશે નહીં કે ‘લોકો મને સમજી શકતા નથી એનું મને દુ:ખ છે.' એને બદલે એ એમ કહેશે કે “ લોકોને સમજી શકતો નથી, એ હકીકતનું મને દુ:ખ છે.' સાચો રાજપુરુષ ક્યારેય એમ નહીં કહે કે ‘લોકો અજ્ઞાની છે.' જો કોઈ રાજપુરુષ લોકોને અજ્ઞાની કહે, તો પોતાની જાતને પ્રખર રાજપુરુષ ગણાવનાર એ વ્યક્તિ રાજપુરુષ તરીકે તો સર્વથા અયોગ્ય છે, પરંતુ માણસ તરીકે પણ લાયક નથી.” આમ સંત કફ્યુશિયસ પાસેથી રાજાએ દુનિયાને સાચી રીતે સમજવાની દૃષ્ટિ પ્રાપ્ત કરી. ગ્રીસના તત્ત્વચિંતક ડાયોજિનિસે આત્મનિર્ભરતાનો એક જુદો જ આદર્શ સૌથી ભયંકર સમાજને આપ્યો. સ્વાવલંબી જીવન જીવવાનો આગ્રહ સેવીને એણે સભ્ય પ્રાણી સમાજે સર્જેલી ભૌતિક સુખો ધરાવતી ચીજ-વસ્તુઓનો અનાદર કર્યો, આથી મકાનને બદલે એ મોટા પાઇપમાં રહેતો હતો અને પોતાના આગવા વિચાર ઍથેન્સના નાગરિકો સમક્ષ રજૂ કરતો હતો. એક વાર ઍથેન્સના વિદ્વાનોની એક સભામાં એવી ચર્ચા જાગી કે ‘જગતનાં પ્રાણીઓમાં સૌથી ભયંકર પ્રાણી કયું ?', તત્ત્વચિંતક ડાયોજિનિસ પણ ત્યાં ઉપસ્થિત હતા. આ ચર્ચાસભામાં પ્રત્યેક વિદ્વાન અને વિચારક પુષ્કળ દાખલા-દલીલો સાથે પોતાના અભિપ્રાય પ્રગટ કરતા હતા. એક અનુભવીએ કહ્યું, આ જગતમાં સૌથી ભયંકર પ્રાણી તો સિંહ છે, કારણ કે એના જીવલેણ પંજામાંથી ક્યારેય કોઈ ઊગરી શકતું નથી.” બીજા વિદ્વાને આ અંગે અસંમતિ દાખવતાં કહ્યું, “સિંહ ભયંકર ખરી, પરંતુ સર્પ જેવો ભયાનક નહીં. સર્પ તો એક દંશ આપે અને તરત જ વ્યક્તિ મૃત્યુ પામે.” મનની મિરાત ૧૫ જન્મ : ૨૮ સપ્ટેમ્બર, ઈ. પૂ. પપ૧, ન્યૂ સ્ટેટ અવસાન : ઈ. પૂ. ૪૯, બ્લ્યુ સ્ટેટ ૧૪ મનની મિરાત
SR No.034426
Book TitleManni Mirat
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy