________________
આરંભે
ચિંતનની કોઈ એક ક્ષણે નવીન વિચાર ઝબકે અને પછી એની આસપાસના સંદર્ભોથી એ વિચાર વધુ પ્રગટ થતો રહે એવી પ્રક્રિયા ‘ક્ષણનો ઉત્સવ’માં જોવા મળશે. વર્તમાન જીવનની વિષમ પરિસ્થિતિ વચ્ચે માનવીએ કઈ રીતે જીવવું તે અંગે એક નવો વિચાર મળે અથવા તો માનવીનાં મનોવલણોને આગવી રીતે ઘાટ આપવાથી કેટલીક સમસ્યાઓ આપોઆપ ઊકલી જાય છે, તે અંગેનું ક્ષણોમાં જાગેલું ચિંતન અહીં પ્રસ્તુત કર્યું છે.
કોઈ એક પ્રસંગ આખા જીવનને અજવાળી દે, એ જ રીતે આ ક્ષણનું ચિંતન વ્યક્તિના વૈચારિક જગતમાં કોઈ નવા સૌંદર્યની શોભા રચી દેશે. એ રીતે પ્રત્યેક પૃષ્ઠ પર એક-એક ક્ષણનું સૌંદર્ય આલેખ્યું છે.
છેક પ્રાચીનકાળથી વર્તમાનકાળ સુધી સ્વસ્થ મન, સુખી જીવન, મૂલ્યનિષ્ઠા, જીવનશ્રદ્ધા, ધ્યેયસિદ્ધિ, સમયનો સદુપયોગ, અધ્યાત્મ જેવા વિષયો અંગે ઘણું લખાયું છે. અહીં આલેખેલું ચિંતન વાચકને જીવન વિશેની એક મૌલિક દૃષ્ટિ આપશે એવી આશા રાખું છું.
એના પ્રકાશન માટે શ્રી મનુભાઈ શાહે ખૂબ જહેમત ઊઠાવી છે, તેમનો આભારી છું. આશા રાખું છું કે આ પુસ્તક સહુ કોઈને પ્રેરણાદીપનું અજવાળું આપી રહેશે.
૨૨-૭-૨૦૧૬
કુમારપાળ દેસાઈ
અમદાવાદ
IV
અનુક્રમ
૧. વહેતાં શીખીએ ઝરણાં પાર્સ
૨. આપણા પર્યાવરણની ચિંતા કરીએ !
૩. દેવાલય વૃદ્ધાશ્રમ લાગે છે !
૪. જિંદગી યાત્રા બનતી નથી !
૫. ધર્મે મશાલને બદલે મશીનગન લીધી !
આ તો ‘ઇઝી લાઇફ' કે ડેડ લાઇફ !
આપણી પીડાનો આપણને સંદેશ
૬.
૭.
૮. ઘરને બદલે કબ્રસ્તાનમાં જીવીએ છીએ !
૯. અપેક્ષાની વિદાય સાથે જ પ્રસન્નતાનું આગમન થશે
૧૦. જગત સાચું છે, પણ એની આસક્તિ સ્વપ્નરૂપ છે ! ૧૧. તમારા સમયનું હવે બૅકબૅલેન્સ કેટલું છે ? ૧૨. પૉઝિટિવ અને નૅગેટિવ વિચાર સાથેસાથે રહે છે ! ૧૩. સર્જનાત્મકતામાં મૌલિક સાહસ છુપાયેલું હોય છે ૧૪. ‘મેં ધાર્યું હોત તો... !' કદી ન બોલશો ! ૧૫. માત્ર ગમતાનો ગુલાલ ઉડાડશો નહીં ! ૧૬. વ્યવસાયમાં સંવેદનાનું મહત્ત્વનું સ્થાન છે.
૧૭. જીવનમાં વ્યક્તિ વારંવાર આત્મહત્યા કરે છે !
૧૮. જીવનમાં સેતુ વિનાના સંબંધોનો ભંગાર પડ્યો છે.
૧૯. નિષ્ફળતા ઓઢીને કોઈને મળશો નહીં !
૨૦. તમારે પૃથ્વી પરનું નર્ક નીરખવું છે ! ૨૧. દુઃખની શોધ પાછળ માનવી દોડે છે ૨૨. લોહીની સગાઈમાં પ્રેમની સગાઈ ભેળવીએ ! ૨૩. વક્તા નહીં, શાંત શ્રોતા બનીએ !
૨૪. યાદી અને ડાયરીનું સમયપત્રક જરૂરી છે ! ૨૫. પ્રશંસામાં સાવ કંજૂસ અને નિંદામાં અતિ ઉદાર ૨૬. તમારા ‘સ્ટ્રેસ'ની ચાવી તમારી પાસે છે ! ૨૭. કાર્ય પ્રસન્નતા આપે અને પીડાકારક પણ બને ! ૨૮. ખોટા નિર્ણયનો ભય રાખવો નહીં ! ૨૯. માત્ર ભીતરનું સત્ય જ શાશ્વત છે. ૩૦. તમારી વિચિત્રતાને ચાહતા રહેજો !
૩૧. અશુભ એ માંડાની ચળ છે !
૩૨. ‘અત્યારે નો આગ્રહ રાખો !
૩૩. તમારી પસંદગી એ જ તમારા જીવનની ગતિ છે. ૩૪. બેચેની એ મનનું કાયમી સરનામું છે.
૩૫. મર્યાદાના અંધારિયા ઓરડામાં નજરકેદ બની જશો
૩૬. આંખથી. વાતચીત કરીએ !
૩૭. ‘કર્મયોગ’ના દેશમાં કર્મ-વો જોવા મળે છે !
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
સહાયકો જેમના
36
37