________________
યાદવો બધા તૂટેલા હારના મણકાની જેમ આઘાપાછા થઈ ગયા. એ વખતે નેમકુમારે અંદર પ્રવેશ કર્યો. તેમણે કહ્યું, ‘રે ! શ્રીકૃષ્ણ ક્યાં છે?”
અંદરથી જવાબ ન આવ્યો. ઘણે ઠેકાણે શોધ કરી, પણ તેમનો પત્તો ન લાગ્યો.
શ્રીકૃપણ સવારથી બહાર ચાલ્યા ગયા હતા.
હતો. એ માથું કૂટતો હતો ને આંસુ સારતો કહેતો હતો, ‘અરેરે, હું લૂંટાઈ ગયો, મરી ગયો.
લોકો ટોળે વળીને પૂછતા હતા, ‘શું થયું ?” વૃદ્ધ યાદવે કહેતો હતો, “મારો મણિ ચોરાઈ ગયો.” ‘રે, કેવી રીતે ચોરાઈ ગયો.” મને શી ખબર પડે ?” કોણ ચોરી ગયું ?” ‘કોનું નામ લઉં ? મોટા મોટાનાં નામ આવે છે.' વૃદ્ધ યાદવ બોલ્યો.
અરે ! ભલા મામસ, નામ તો લે.”
નામ તો આવે માખણચોરનું-શ્રીકૃષણનું-કાલયવનને હણનાર મહાન મુસદીનું! પણ એ નામ કેમ લેવાય ?”
કેમ ન લેવાય ?’ કેટલાક યાદવો બોલ્યા.
હું ન લઉં. મારે દ્વારકામાં રહેવું છે, રહીને જીવવું છે. આ તો છેલ્લી વાર એ મણિ જોવા આવ્યા હતા, ને તરત મણિ ગુમ ! હાય, હાય, હું લૂંટાઈ ગયો.”
‘રે સત્રાજિત ! અમે સત્યના સાથી છીએ. ચાલો શ્રીકૃષ્ણ પાસે, જવાબ માગીએ.”
યાદવોનું ટોળું દ્વારકાના રાજમહેલ તરફ ચાલ્યું.
લોક એક અજબ જાત છે. દરેક જુદી જુદી વાતો કરવા લાગ્યા. નાનપણમાં માખણ, દહીં ચોરવાની શ્રીકૃષ્ણની આદત જાણીતી હતી. મનોવૈજ્ઞાનિક લોકોએ વિજ્ઞાનનો ઉપયોગ કર્યો, કહ્યું કે પડી ટેવ ટળે કેમ ટાળી? ટેવનું જોર અજબ હોય છે. એ માણસ પાસે ન ધાર્યું કરાવે છે. આખરે બધાએ નિર્ણય કર્યો કે નક્કી એ આદતના બળે શ્રીકૃષ્ણના હાથે આવું અનુચિત કર્મ થયું હોય !
બલરામે કહ્યું, ‘રે લોકો ! તમે શું વાત કરો છો, એને તો કંઈ વિચાર કરો. યાદવોના ઉદ્ધારક પર આવો નીચ આરોપ ?' | ‘શ્રીકૃષ્ણ હોય કે ગમે તે હોય, બક્ષિસ લાખની, હિસાબ કોડીનો ! આ ચોરી નહિ ચાલે. માગીને લેવું હોય એ લે !” કેટલાક યાદવો ધિટ્ટ થઈને બોલ્યા.
‘તમારો દિનમાન ઘેર છે કે નહિ ? અરે ! એ વૃદ્ધ યાદવ સત્રાજિતનું ઘર જમીનદોસ્ત કરી નાખીશ, ને ત્યાં હળ ચલાવી ખેતી કરીશ.' બલરામે હળ ઊંચું કર્યું ને એ સામે ધસ્યા.
196 પ્રેમાવતાર
મણિનો ચોર 197