________________
આણાએ ધમ્મો, આણાએ તવો
વેદનીય કર્મનો નાશ કરે છે, તેવા જ વેગથી નવાં શાતા વેદનીય કર્મનો બંધ કરે છે, જે એકત્રિત થતાં જાય છે.
પ્રથમ પ્રકારના સત્પરુષો શુલધ્યાનમાં અશાતાવેદનીય કર્મો ઝડપથી બાળે છે, સાથે સાથે બળવાન મન, વચન અને કાયાનાં યોગની શક્તિને કારણે એટલાં જ શાતાવેદનીય કર્મ નવાં બાંધે છે. તેમ છતાં તેમને સિદ્ધ અને અરિહંત પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓનો સાથ રહેતો હોવાથી, શુધ્યાનમાં વેગથી બંધાયેલા શાતાવેદનીયનાં કર્મોને તેઓ અંતમુહૂર્તમાં જ ઉદયમાં લાવે છે. એ વખતનાં તેમનાં બળવાન આજ્ઞાધીનપણાને કારણે તે જીવ સંસારની શાતા તથા અશાતાનો એકસરખો નકાર કરે છે અને સ્વસુખનો હકાર વેદે છે. આ હકારને કારણે તે જીવ શાતાવેદનીય કર્મને પારમાર્થિક શાતામાં પલટાવે છે. આવા પારમાર્થિક શાતાવેદનીય કર્મનાં પરમાણુઓ શુક્લધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી ઉદયમાં આવે છે, તેથી શુકુલધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી પણ તેમની સંસાર પ્રતિની નિસ્પૃહતા, વીતરાગતા અને શુક્લપણું યથાવત્ રહે છે અને ક્રમે ક્રમે વધતાં જાય છે. તેમને સંસારની પ્રવૃત્તિનો ઉદય હોવા છતાં તેની સાથે તેમનું આત્માથી જોડાણ થતું નથી, એટલે તેમનું આજ્ઞાધીનપણું પણ ક્રમથી વધતું જાય છે. પરિણામે તેઓ પહેલા કરતાં ટૂંકા ગાળે શુક્લધ્યાનમાં જાય છે. શુક્લધ્યાનમાં તેઓ અશાતા વેદનીય કર્મને શાતા વેદનીયમાં પલટાવે છે, અને એ શતાવેદનીય કર્મને અંતર્મુહૂર્તમાં જ પરમાર્થ શાતા વેદનીયમાં સંક્રમાવે છે. આ પ્રક્રિયાથી સાતમા ગુણસ્થાનનું ઉત્કૃષ્ટપણું વેદવાની શક્તિ જીવને પાંચમા આરામાં પણ આવી શકે છે.
આવો પુરુષાર્થી જીવ જેટલા કાળ માટે સાતમાં ગુણસ્થાને રહે છે તેના કરતાં અસંખ્યગણા સમય માટે છઠ્ઠી ઉત્કૃષ્ટ ગુણસ્થાને રહી શકે છે. જેટલા વધારે સમય માટે જીવ છઠ્ઠી ઉત્કૃષ્ટ ગુણસ્થાને રહે છે, તેટલી વધારે ઉત્કૃષ્ટતા તે જીવ ફરીથી શુક્લધ્યાનમાં જાય ત્યારે સાતમાં ગુણસ્થાને વેદે છે; એટલે કે એ વખતનું તેનું શુક્લધ્યાન વધારે ઊંડું અને ઘેરું થાય છે. આપણે આ વિધાનને ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ.
૩૮૫.