SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જેન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રિચર્સ સેન્ટર મુંબઈ - ઘાટકોપર સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણલાલજી મહારાજસાહેબની શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. લલિતબાઈ મ.સ.નાં વિદ્વાન પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુ જન્મશતાબ્દી સમિતિ, મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફી ઍન્ડ લિટરરી રિચર્સ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટરનો ઉદ્દેશ આ પ્રમાણે છે : • જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. • સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મનાં સાહિત્યનું પ્રકાશન કરવું. • જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. • જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. જૈન સાહિત્યનાં અધ્યયન અને સંશોધનના માટે Work-shop કાર્યશાળાનું આયોજન કરવું. જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું, સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading), લિપિ - વાંચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old Jain Manuscript)નું વાંચન. • જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D. M.Phill કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક, સંત-સતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરે સી.ડી. તૈયાર કરાવવી. • દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન - આયોજન, ઇન્ટરનેટ પર ‘વેબસાઇટ' દ્વારા જેન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ આપના સહયોગની અપેક્ષા સાથે જૈન ફ્લિોસોફિકલ એન્ડ ટ્રસ્ટી અને માનદ્ સંયોજક લિટરરી રિચર્સ સેન્ટર, ગુણવંત બરવાળિયા અહમ્ સ્પિરિટ્યુઅલ સેન્ટર મો. ૦૯૮૨૦૨૧૫૫૪૨ E-mail : Gunvant.barvalia @Gmail.com ૧૮૦ % માં આદર્શ કેળવણીને ઉપનિષદ |
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy