SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદાહરણો મળે છે, જેમાં જૈનકુટુંબમાં જ શિક્ષણની લેવાની પ્રવૃત્તિ મળે છે. બાળકોને નાનપણથી જ પાઠશાળામાં ભણવાની તાલીમ જૈનબાળકોને મળે છે અને બીજી તરફ જૈન-સાધુ-સાધ્વી રોજ ત્રણ કલાક જેટલો સમય સ્વાધ્યાયમાં ગાળે છે. આમ સંસારી અને સાધુ બંને માટે શિક્ષણ આવશ્યક છે. એક તરફ શિક્ષણ અંગે ગહન વિચાર કરનાર અનેક ચિંતકો આ દેશમાં થઈ ગયા. બીજી તરફ ધર્મમાં પણ શિક્ષણને આગવું માહાભ્ય પ્રાપ્ત થયું છે, છતાં આપણે અંગ્રેજ મૅકોલેનીએ આપેલી શિક્ષણ વ્યવસ્થાના ભાગ બની બેઠા છીએ, કારણ અંગ્રેજો જે ખોખું આપણે ત્યાં મૂકી ગયા તેનો આધાર આપણે છોડી શક્યા નહિ. જેમ તેમને બાંધેલાં સ્ટ્રકચર આપણને છોડી શક્યા નહિ તેમજ તેમને આપેલી વ્યવસ્થામાં પણ આપણે જકડાઈ ગયા હતાં. ભારતીય પરંપરામાં ધર્મ માત્ર ક્રિયાઓ પૂરતો મર્યાદિત નથી પરંતુ જીવનદર્શનનો પણ એ ભાગ બને છે. જૈનદર્શનમાં કેળવણી અંગે બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. જે અંગે આજના સંદર્ભમાં ચર્ચા થવી જરૂરી છે. કોઈ દેશની રાષ્ટ્રીય શિક્ષણપ્રથાના મૂળમાં જોઈએ તો અમુક શ્રદ્ધા, અમુક દૃષ્ટિ અને તેને અનુરૂપ પ્રયોજન ને ઉદ્દેશ રહેલાં હોય છે. શિક્ષણ પ્રથા તે ઉપરથી ખીલે છે ને પોતાનો ઘાટ પકડે છે. પાયાની કેળવણી આત્માવિકાસ માટે છે. જૈનદર્શને એ પ્રત્યે પૂરતું ધ્યાન આપ્યું છે. જૈન ધર્મમાં કેળવણીનું માહામ્ય પહેલેથી જ હતું. સ્વાધ્યાયને મહત્ત્વ આપનાર અને તાત્ત્વિક ચર્ચા કરવામાં આ ધર્મ કદી પાછળ પડ્યો નથી. એક તરફ ધાર્મિકશિક્ષણ આપતી પાઠશાળા અને બીજી તરફ સાધુઓ દ્વારા થતો ધર્મનો પ્રચાર, પરંતુ શિક્ષણ એટલે માત્ર ધર્મ એટલું જ નહિ, પરંતુ એથી વધુ જીવનલક્ષી હોય અને જીવનને યોગ્ય આકાર આપનારું હોય અને સક્ષમ સમાજ રચી શકે તેવું હોય, એ દૃષ્ટિકોણ વિચારાયો છે. જૈનચરિત્રોના ગ્રંથોમાં જોઈ શકાય છે કે તીર્થકરને નાનપણમાં કેળવણી અપાય છે. તીર્થકર અજિતકુમારને કળા અને શબ્દશાસ્ત્ર વગેરે વિશે જ્ઞાન આપતું. દરેક તીર્થકરોને જ્ઞાન અને કૌશલ આપવાની વાત ચરિત્રોમાં આવે છે, તીર્થકર જન્મથી ત્રણ જ્ઞાનવાળા હોય જ છે. એથી આ પ્રક્રિયાનો લાભ તેમની આજુબાજુનાં કુટુંબીજનોને મળે છે, જેમ કે – અજિતકુમારને જ્ઞાન હોવાથી સગરકુમાર ઉપાધ્યાય પાસે અધ્યયન એ કરે છે અને પોતાના સંશયો અજિતકુમારને પૂછી અંધકાર દૂર કરે છે. મોટાભાગે દરેક ઉત્તમ આત્માના જન્મ પછી મહોત્સવ સાથે ઉપાધ્યાય ૧૪૮ VIM) આદર્શ કેળવણીનું ઉપનિષદ પાસે અધ્યયન કરાવવાનો આરંભ કરાવાય છે. ઉપાધ્યાય પાસે શબ્દશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર, કળા, ન્યાય વગેરે વિશે અભ્યાસ કરે છે. તીર્થંકર પ્રભુ ક્ષત્રિય હોવાને કારણે અસ્ત્ર-શસ્ત્રોનો અભ્યાસ પણ કરે છે. ત્રિષષ્ઠિ શલાકા પુરુષમાં આપણે જોઈ શકીએ છીએ કે તીર્થકર ભગવાનના અધ્યયનની વાત આવે છે. અભ્યાસનું વર્ણન જોઈએ તો ખ્યાલ આવે કે અધ્યયન અંગે કેટલી ઊંડી સમજ એ સમયે પણ હતી. ઔષધિ, રસ, વીર્ય અને તેના વિપાક સંબંધી જ્ઞાનના દીપક સમાન અષ્ટાંગ આયુર્વેદનું અધ્યયન કર્યું, વાદ્યશાસ્ત્ર ગ્રહણ કર્યું, વાહનવિધિ, ચિકિત્સા, અશ્વલક્ષણ શસ્ત્ર, ધનુર્વેદ વગેરેનું અધ્યયન કર્યું. અધ્યયનનું ક્ષેત્ર વિશાળ અને અનેક પ્રકારનાં કૌશલથી સભર જોવા મળે છે. અભ્યાસ ઉપરાંત બૌદ્ધિક પુરુષો માટે જ્ઞાનપ્રશ્નો ઉત્તરના રૂપે પણ ઉપલબ્ધ હોય છે, આગળ વર્ણન આવે છે કે - “પોતાના મનના સંચયો દૂર કરવા માટે સાગરકુમાર અજિત સ્વામીને પૂછે છે અને અજિતકુમાર મતિ, શ્રુતિ અને અવધિજ્ઞાન વડે તેના સંદેહને સૂર્યનાં કિરણોથી અંધકારની જેમ તત્કાળ છેદી નાખે છે. સગરકુમારને કળામાં જે કાંઈ ન્યૂન હતું તે અજિતકુમારે શિખવ્યું. તેવા પુરુષને તેવા જ શિક્ષક હોય છે. આપણે એમ વિચારી શકીએ કે જે તીર્થકર છે તે તો સર્વકાળથી પરિચિત છે તેમને આ જ્ઞાનની શું જરૂર ! પરંતુ એક મનુષ્યના જીવનમાં આ કાળનું મહત્ત્વ સાબિત કરતી વખતે જૈનદર્શન પોતાના ભગવાનને પણ મનુષ્યરૂપમાં શિક્ષણ આપવાનું ચૂકતા નથી. આ વિચાર જ એટલો મોટો છે કે આપણને અનુભૂતિ થાય છે. કે - “શિક્ષણને જૈનદર્શને આગવું સ્થાન આપ્યું છે. જૈનોના મહાપર્વ પર્યુષણની ઉજવણી વખતે પણ અધ્યયનનો મહિમા જોવા મળે છે. પર્યુષણ મહાપર્વમાં મોટાભાગે પાંચમાં દિવસે અર્થાત્ ભાદરવા સુદ-એકમના દિવસે મહાવીર જન્મ કલ્યાણક ઉજવવામાં આવે છે, ત્યાર પછીના દિવસે ભગવાનને સ્કૂલમાં બેસાડવામાં આવે છે અને એ નિમિત્તે જ્ઞાનની પૂજા કરાય છે. આ પ્રતીકાત્મક ઉત્સવ આપણી અંદર એ વિચારને રોપી દે છે. તીર્થકરને સ્કૂલે જવાનું હોય તો આપણે કેમ ન જઈએ ? કોઈ એક પ્રથા માત્ર ઉપદેશ દ્વારા જ નહિ, પરંતુ અમલમાં મૂકીને જ ચલણી બનાવાનો આ ચીલો જૈન ધર્મની મહત્તા સ્થાપે છે. આ પરંપરા આજ કાલની નથી, પરંતુ વર્ષો જૂની છે. આપણે એક તરફ જોઈ શકીએ છીએ કે - તીર્થકરના ઉદાહરણ દ્વારા જ શિક્ષિત થવું કે સ્કૂલે જવું એવો સંદેશ મળે છે, તો બીજી તરફ કેટલાક ગ્રંથો પણ શિક્ષણનું મહત્ત્વ આદર્શ કેળવણીનું ઉપનિષદ , VILLA ૧૪૯ ]
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy