SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવ લગભગ બધાં જ ક્ષેત્રો જેમ કે - ચિકિત્સા, પ્રશાસનિક, રાજનૈતિક, ઔદ્યોગિક, ન્યાયતંત્ર વગેરેમાં દેખાડી રહ્યો છે.’ આપણે અપેક્ષા કરીએ છીએ કે - ‘શિક્ષણથી સારી પેઢીનું નિર્માણ થાય. સ્વસ્થ અને સારો સમાજ બને.' શિક્ષણશાસ્ત્રી પણ એ જ ઇચ્છે છે કે - ‘આજનો વિદ્યાર્થી સુસંસ્કારી બને, સારો નાગરિક બને, પરંતુ આ ધારણા સફળ થતી નથી; કારણ કે આજની શિક્ષણપદ્ધતિનો માર્ગ સાચો નથી. સાથે-સાથે દરેકના મોઢે પણ સાંભળવા મળે છે કે ‘આજની શિક્ષણ પદ્ધતિ' સંપૂર્ણ અને અપર્યાપ્ત છે. જૈનદર્શનના જીવનવિજ્ઞાનના પરિપેક્ષ્યમાં આજના શિક્ષણમાં ક્યાં-ક્યાં તૂટીઓ છે તેનું સ્પષ્ટતાથી વિવરણ કરવામાં આવ્યું છે. જેમ કે - ૧. પ્રવૃત્તિ અને નિવૃત્તિ : મનુષ્ય પોતાની ભૌતિક ક્રિયાઓ જેવી કે ખાવું, પીવું, સંપત્તિ વગેરે પ્રત્યેક વ્યક્તિના જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનું સંતુલન હોવું જરૂરી છે. જ્યાં આ સંતુલન બગડે છે, ત્યાં સમસ્યાઓ ઊભી થાય છે. જેમ કે - ફક્ત પ્રવૃત્તિ માણસને પાગલપણાની તરફ લઈ જાય છે. જ્યારે ફક્ત નિવૃત્તિ માણસને નકામો બનાવી દે છે, એટલે જ સક્રિયતા અને નિષ્ક્રિયતાનું સંતુલન હોવું જરૂરી છે. ૨. જીવનની ઉપેક્ષા : મનુષ્ય પોતાની ભૌતિકક્રિયાઓ જેવી કે ખાવું, પીવું, સંપત્તિ વગેરે જીવનજરૂરિયાતો પૂરી કરવામાં સહાયક થવાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે છે અને એ જ શિક્ષિત કહેવાય છે. આ બધી જ વાતો શિક્ષણની સીમામાં આવી ગઈ છે. પરંતુ સ્વયંના વિષયમાં પણ જાણવું જરૂરી છે, પોતાના જીવનનું મૂલ્ય શું છે ? એવી ધારણા સામાજિક શિક્ષણમાં થઈ નથી. ૩. મન અને પ્રાણશક્તિની ઉપેક્ષા : આજની શિક્ષણપદ્ધતિમાં બૌદ્ધિકવિકાસને જ શિક્ષણનું અંગ માનવામાં આવ્યું છે. પરંતુ મનને શિક્ષણનો વિષય બનાવ્યો નથી. આજના શિક્ષણથી બુદ્ધિ ભલે તેજ થઈ છે, પરંતુ વિકૃતિઓને, દોષોને દૂર કરી શકાતા નથી. મનની ચંચળતાના કારણે જ આ વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. જેના કારણે મનુષ્યમાં સંસ્કારિકતા આવતી નથી. મનને આદર્શ કેળવણીનું ઉપનિષદ ૧૩૦ પ્રશિક્ષિત કર્યા વગર વિકારો દૂર થશે નહિ. પરંતુ આજના શિક્ષણમાં બધા જ વિષયો આવે છે, પરંતુ મનને પ્રશિક્ષિત કરવાનો કોઈ ઉપક્રમ આવ્યો નથી. એવી જ રીતે પ્રાણશક્તિના વિષયમાં પણ કોઈ ચિંતન કરવામાં આવ્યું નથી. કોઈ પણ વિદ્યાર્થી જાણતો નથી કે તેની અંદર અસીમ શક્તિઓ છુપાયેલી છે. જે એવા સમયે કામ આવે છે કે જ્યારે શરીરની શક્તિ કામ ન આવે, અર્થાત્ કમજોર વ્યક્તિ પણ પ્રાણશક્તિના આધારે બળવાન વ્યક્તિથી વધારે કામ કરી શકે છે. આજનો વિદ્યાર્થી પ્રાણશક્તિથી અજાણ હોવાથી તેને એના પર ભરોસો નથી; કારણ કે આજના શિક્ષણમાં પ્રાણશક્તિનું કોઈ પ્રશિક્ષણ આપવામાં આવતું નથી. ૪. પ્રાણશક્તિનું અસંરક્ષણ : ચિત્તની જેટલી ચંચળતા, અસંતુલન એટલી વિષમતા. જેના કારણે પ્રાણશક્તિનો વ્યય પણ વધુ થશે. આજે હિંસા-અહિંસા, પરિગ્રહઅપરિગ્રહ, બ્રહ્મચર્ય-અબ્રહ્મચર્ય વગેરેની ચર્ચા વધારે થાય છે; પણ એનું મૂળ કારણ છે પ્રાણશક્તિનું સંરક્ષણ એ વાત આજે ભુલાઈ ગઈ. પ્રાણશક્તિના સંવર્ધન માટે જરૂર છે સમભાવની અર્થાત્ પ્રિય-અપ્રિય, અનુકૂળ-પ્રતિકૂળ વગેરે દરેક પરિસ્થિતિમાં મનનું સંતુલન બગડે નહિ, સમભાવ રહે, સમતાથી જ પ્રાણશક્તિનું સંવર્ધન થાય છે. પ્રાણશક્તિના અભાવમાં ધ્યાન સાધનો તેમજ બીજી શક્તિઓ પણ વિકસી શકતી નથી, માટે પ્રાણશક્તિનું રક્ષણ પણ જરૂરી છે. ૫. અસંતુલનનું દુષ્પરિણામ : આજે વ્યક્તિ ભણીને વૈજ્ઞાનિક, ડૉક્ટર, વકીલ વગે૨ે બની જાય છે; તેમ છતાં તે ઝગડા કરે છે, ઈર્ષા કરે છે, નિંદા કરે છે. અરે ! આત્મહત્યા કરવા પણ તૈયાર થઈ જાય છે; કારણ કે આજનું શિક્ષણ તેને અનુકૂળ - પ્રતિકૂળ પરિસ્થિતિમાં કેમ જીવવું તે શીખવી શકતું નથી. આજની શિક્ષાનો ઉદ્દેશ્ય ફક્ત બૌદ્ધિક પ્રશ્નોનો સમાધાન કરવાનું હોય છે, શાંતિ નહિ. ૬. સહિષ્ણુતા : આજના શિક્ષણમાં સહિષ્ણુતાના વિકાસ સંબંધિત સામગ્રીનો અભાવ જોવા મળે છે. જે કષ્ટ સહન કરે છે, દરેક પરિસ્થિતિનો સામનો કરે છે તે જ સહિષ્ણુતાનો વિકાસ કરી શકે છે. જેટલી પણ વિદ્યાઓની આદર્શ કેળવણીનું ઉપનિષદ ૧૩૧
SR No.034406
Book TitleAdarsh Kelavaninu Upnishad
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2016
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy