SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ યહૂદી ધર્મની વિશેષતા : કરવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે. તેથી દરેક વ્યક્તિએ ન્યાય, દાન, પ્રામાણિકતા, નૈતિક મૂલ્યો અને સદાચારી જીવન જીવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ. યહૂદી ધર્મ અને યહૂદી પ્રજાના વિકાસનો ઇતિહાસ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. આ ધર્મના Moses - ફિરસ્તાએ લોકોને સદાચારી જીવન જીવવા માટે ચોક્કસ પ્રકારના લિખિત નિયમો આપ્યા છે. આ નિયમોને વફાદાર રહેવાથી, જગતમાં યુદ્ધને – અશાંતિને તક મળશે નહીં. સર્વત્ર શાંતિ સ્થપાશે. મુખ્ય ધર્મગ્રંથો : આ ધર્મ એકેશ્વરવાદી છે, અર્થાતુ એક પરમાત્મામાં માને છે. એકથી વધારે ઈશ્વર હોઈ શકે નહીં. આ ધર્મમાં લોકકલ્યાણ અને લોકોના શૈક્ષણિક-ધાર્મિક વિકાસ પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે. ધર્મ એ બીજું કશું નથી. પરંતુ આ ધરતી પરના માનવીને સાચા અર્થમાં માનવ બનાવનાર શિક્ષિત અને બીજાને ઉપયોગી બનાવનારે મહત્ત્વનું પ્રેરકબળ છે. ઈશ્વરની નજરમાં જગતમાં બધાં રાષ્ટ્રો અને પ્રજાસમૂહો સરખા છે. ઈશ્વરે માનવી તેમજ પ્રકૃતિનું સર્જન કર્યું છે, તેથી આ ધર્મમાં કોઈ ઊંચ કે નીચ એવો ભેદભાવ સ્વીકારેલ નથી. માનવીનો વિકાસ કરનાર મુખ્ય ત્રણ પરિબળો છે : (૧) નૈતિક - પવિત્ર જીવન (૨) સાચી આધ્યાત્મિકતા (૩) ધાર્મિક શ્રદ્ધા – ધર્મ વિશેની વ્યાપક-યથાર્થ સમજણ . આવી ધાર્મિક શ્રદ્ધાને દેઢ કરવા માટે ચોક્કસ નિયમો - સ્પષ્ટ આદેશો અને જીવનના બધાં ક્ષેત્રોને આવરી લેતા ઉત્તમ જીવનમૂલ્યો હોવા અનિવાર્ય છે. આવા નિયમો સૌ કોઈએ સ્વીકારવા જોઈએ અને જે કોઈ આવા જનકલ્યાણના કાયદાનું ઉલ્લંઘન કરશે તેને શિક્ષા કરવામાં આવશે .Exile -દેશ નિકાલ કરવામાં આવશે. ધાર્મિક સમૂહથી એને એકલો રહેવાની ફરજ પાડવામાં આવશે અને આ રીતે એકલો રહ્યા પછી જો તે તેની વર્તણૂકમાં પરિવર્તન લાવશે તો તેનો ફરીથી ધર્મસંસદમાં સ્વીકાર કરવામાં આવશે. એનો અપરાધ માફ કરી એને પુનઃ મૂળની જેમ બધી ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ બધાં સાથે રહીને કરવાની તક આપવામાં આવશે. માણસ માત્રમાં, સારી અને ખરાબ એમ બંને પ્રકારની વૃત્તિઓ હોય છે તેથી કાં તો તે ઈશ્વરીકાનૂનનું પાલન કરે અથવા એ કાનૂનને તોડવા માટે, શેતાનની અસર નીચે, પ્રભાવ નીચે ખરાબ વર્તન કરે. ઈશ્વરના નિયમોનું પાલન કરવું એ સર્વોત્તમ નીતિ છે. આવું પાલન યહૂદી ધર્મનો મુખ્ય ધર્મગ્રંથ હીબ્રૂ બાઇબલ ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ' (OLD TESTAMENT) છે. આ ગ્રંથના પ્રથમ પાંચ સિદ્ધાંતો - "TORAH (Teaching) સૌથી વધુ ઉપકારક છે, યહૂદી લોકો તેને પૂરી શ્રદ્ધાથી સ્વીકારે છે. આ ગ્રંથને આધારે ૧૦ આજ્ઞાઓ આપવામાં આવે અને એ ધાર્મિક આજ્ઞાઓ (TEN COMMANDMENTS)નો આદેશ આપવામાં આવ્યો. દશ આજ્ઞાઓઃ (૧) મારા સિવાય બીજો કોઈ તારા માટે ઈશ્વર હોય નહીં. (૨) તારી ઉપાસના માટે તું કોઈ પણ પ્રકારની પ્રતિમાનું નિર્માણ કરીશ નહીં. સ્વર્ગની કે પાતાળની અથવા તો ધરતીના પેટાળમાં રહેલા પાણીની કોઈ પસંદગીની વિશેષતાને તું વંદન કે નમસ્કાર કરીશ નહીં. પરમાત્માને નામે, ઈશ્વરના નામે તું ખોટા સોગંદ ખાઈશ નહીં. આરામના (સબાથ)ના દિવસને તું સ્મૃતિમાં રાખજે અને તે દિવસ પવિત્રતાથી પસાર કરજે. (૫) તમારા પિતા અને માતાને માન આપજે. (૬) તું કોઈની હત્યા (ખૂન) કરીશ નહીં. સર્વધર્મ દર્શન ૧૧૫ ૧૧૬ સર્વધર્મ દર્શન
SR No.034399
Book TitleSarvdharn Darshan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages101
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy