________________
જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત
જૈન ધર્મમાં અહિંસાના સિદ્ધાંતને મનોવૈજ્ઞાનિક આધારે સ્થાપિત કરવામાં આવ્યો છે. અહિંસાને આર્દત પ્રવચનનો સાર શુદ્ધ અને શાશ્વત ધર્મ રૂપે દર્શાવવામાં આવ્યો છે. અહિંસાના આવિષ્કારથી જીવનમાં સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની ભાવના ઉત્પન્ન થાય છે. અહિંસામાં જીવ માત્રના અસ્તિત્વનો સ્વીકારે છે. જેવી રીતે બધી જ નદીઓ સાગરમાં સમાઈ જાય છે તેમ બધા જ ધર્મો ભગવતી અહિંસામાં સમાયા છે. વીતરાગતા અહિંસાની જનની છે.
જૈનદર્શને પરિગ્રહ વિશે સૂક્ષ્મ નિરીક્ષણો કર્યા છે. પરિગ્રહ એ ગુનો ત્યારે જ બને છે જ્યારે તેમાં કટ્ટર માલિકીભાવ, આસક્તિ અને વિવેકહીન ભોગ અભિપ્રેત બને. અપરિગ્રહવ્રત શ્રદ્ધાપૂર્વક આચરણ પામે ત્યારે સમાજવાદના આદર્શની પ્રતિષ્ઠા થઈ શકે. સોનું રૂ૫ આદિ નવ પ્રકારના બાહ્ય અને ક્રોધ માનાદિ સોળ પ્રકારના અત્યંતર પરિગ્રહ છોડવા પર જૈનાચાર્યો ભાર આપે છે,
બીજાની વાત પણ સાચી હોઈ શકે, કોઈ પણ વિચાર કે અન્યના મતને દરેક બાજુએથી જોવો. જો માનવી પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય એ સુંદર વાત જૈન દર્શન અને કાંતવાદ દ્વારા સમજાવી છે. માતા-પુત્ર, પતિ-પત્ની, સાસુ-વહુ, શેઠ-નોકર, બે પક્ષના કાર્યકર્તાઓ, પ્રજા-નેતા, સરકાર-પ્રજા , અમલદાર-પ્રજ, બે પ્રાંત કે બે રાષ્ટ્ર દરેક અભિપ્રાય અને ઘટનાને અનેકાંતથી જોશો તો મોટા ભાગના પ્રશ્નો ઊકલી જશે. જૈન ધર્મે અન્યના મત પ્રતિ ઉદાર અને સહિષ્ણુ થવાની વાત પરમત સહિષ્ણુતાના સિદ્ધાંત દ્વારા સમજવી છે. અનેકાંતનું આચરણ વિશ્વશાંતિનો મૂલાધાર છે.
સમાપના: જૈન ધર્મના પર્યુષણ પર્વના અંતિમ દિવસે એટલે સાંવત્સરિક ક્ષમાપના પર્વ. ક્ષમાપના એટલે પશ્ચાત્તાપના ભાવો. આપણી ભૂલોનો એકરાર કરી કામો માગવાનો અને બીજાની ભૂલોની દરકાર ન કરી ક્ષમા આપવાનો આ અવસર છે.
જૈનો બે હાથ જોડી સામસામે ‘મિચ્છામી દુક્કડ’ કહી ક્ષમાપના માગે છે.
‘મિચ્છામી દુક્કડે’ એટલે મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ, ક્ષમાપના જૈન ધર્મની વિશ્વને અણમોલ ભેટ છે.
દિગંબર સંપ્રદાય દિગંબર : દિશાઓ જ જેનાં વસ્ત્રો છે તે દિગંબર કહેવાય.
જૈન ધર્મના દિગંબર સંપ્રદાયમાં સાધુપણું અત્યંત કઠિન છે. બાહ્ય આચરણ તદ્દન નગ્નાવસ્થા, બને ત્યાં સુધી એકાંતવાસ, જંગલમાં વિચરવુંરહેવું, દિવસમાં એક વાર ઊભા ઊભા આહાર લેવો અને એક જ વાર પાણી પીવું. અંજલિ (હાથમાં) શોધન કર્યા બાદ આહાર લેવામાં પણ વિધિ-વિધાન મુજબ આહાર લે છે, કોઈ પાત્રનો ઉપયોગ ન કરે, તેમજ આહારદાન કરનાર શ્રાવકની પડગાહન (આહારદાન) વિધિની જાણકારીનો અભાવ હોય તો મુનિરાજને તે દિવસનો આહાર ત્યાગ (ઉપવાસ) થાય. તે પણ મૌનપણે. દીક્ષિત સ્ત્રીને આર્જીકા (આર્યાજી) કહેવામાં આવે છે. તે ફક્ત એક સફેદ વસ્ત્ર જ ધારણ કરી શકે,
મોક્ષપ્રાપ્તિ માટે સમ્યક્દર્શન પ્રથમ પગથિયું છે. એક વાર સમ્યક્ત પ્રાપ્ત થયું હોય તેને ભવભ્રમણનો અંત નજીક આવે છે. મોક્ષ અવશ્ય પ્રાપ્ત થાય છે. એવા તત્ત્વજ્ઞાનમાં શ્રદ્ધા ધરાવે છે.
દેવ-દર્શન-પૂજા-ભક્તિ-આરતી : આત્માની સાચી સમજણ કરવા સ્વાધ્યાય-સત્સંગને મહત્ત્વ અપાય છે. તેમ છતાં નિત્ય જિનપ્રતિમા દર્શન જિનવાણીના શ્રવણનો પણ મહિમા છે જ. દરરોજ પ્રાત:કાળ જિનેન્દ્ર ભગવાનનો શુદ્ધ જળથી અભિષેક કરવો. પ્રાશુક (હિંસારહિત) અષ્ટ દ્રવ્ય જેવાં કે જળ, ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેધ, દીપ, ધૂપ અને ફળથી પૂજા કરવામાં આવે, તેમાં સમગ્ર તીર્થંકરો, સમસ્ત તીર્થક્ષેત્રો, આચાર્ય, ઉપાધ્યાય, મુનિરાજોનું ભાવપૂર્વક સ્મરણ કરીને તેમને અર્ણ ચડાવવામાં આવે છે અને આરતી ઉતારવામાં આવે છે.
પૂજાવિધાનઃ દશલક્ષણ પર્યુષણ પર્વમાં દશલક્ષણ ધર્મ મંડળ વિધાન કરવામાં આવે. વર્ષમાં ત્રણ વાર અણનિકા દરમિયાન પંચમે રૂ અને નંદીશ્વરધામની પૂજા કરવામાં આવે છે. બાકી અલગ અલગ પ્રસંગોમાં ચોસઠ ઋદ્ધિમંડળ, પંચપરમેષ્ઠી વિધાન, પંચકલ્યાણક મંડળ ઇન્દ્રધ્વજ વિધાન ઇત્યાદિ
સર્વધર્મ દર્શન
૨૯
૩૦
સર્વધર્મ દર્શન