SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યક્ષ યા પરોક્ષ પ્રયત્ન કરતો, પરંતુ રાજાના ઔદાર્ય સામે તેનો કોઇ ઉપાય કામ લાગતો નહીં ! રાજાને સાવચેત કરવાના ઇરાદાથી તેણે એકવાર રાજાનાં શયનગૃહની ભીંત પર ‘આપદાર્થે ધન રક્ષેત’ અર્થાત્ ‘આપત્તિ માટે ધન સાચવી રાખવું જોઇએ', એવું સૂત્ર લખી નાખ્યું. રાજાએ એ સૂત્ર વાંચ્યું. પ્રધાનનું આ ચાપલ્ય જોઇને રાજા મનોમન હસવા લાગ્યો. તેણેએ સૂત્રની નીચે બીજું એક સૂત્ર લખી નાખ્યું. ‘મહતાં કુતઃઆપદઃ ?' અર્થાત્ ‘મોટા માણસોને આપત્તિ ક્યાંથી આવે ?” ૮, આપણે સદેવ દાનાધીન બનીએ अनुकूले विधौ देयं यतः पूरयिता हरिः ।। प्रतिकूले विधौ देयं यतः सर्व हरिष्यति ॥ (२) રાજાનો આ ખ્યાલ જોઇને પ્રધાનને આશ્ચર્ય થયું. તેને થયું : ‘મને આપત્તિ આવશે જ નહીં,' એવી ભ્રાન્તિમાં રાજા રાચે છે. 'તકદીર અનુકૂળ હોય ત્યારે દાન આપવું, કારણ કે, પૂરું પાડનાર ભગવાન છે, તકદીર પ્રતિકૂળ હોય ત્યારે પણ દાન આપવું, કારણ કે, નહિ તો તે જ ભગવાન બધું છિનવી લેશે.' તેણે એ સૂત્રની નીચે વળી એક સૂત્ર ઉમેર્યું : 'કદાચિત્ કુપિતો દેવઃ' અર્થાત્ ‘કદાય દેવ કુપિત થાય તો ?' (આપત્તિ આવે પણ ખરી. આ વાંચીને રાજાએ વળી આગળ એક ચરણ ઉમેર્યું, ‘સંચિત ચાપિ નશ્યતિ,' અર્થાત્ (જો દેવ કુપિત થાય તો) 'સાચવેલું પણ નાશ પામે.' ઉપરોક્ત સુભાષિતનું યથોચિત સમર્થન આ દૃષ્ટાંત કથામાંથી સાંપડી રહે છે. દાનનો મહિમા અનેરો છે. દાન આપવામાં કદી માણસે પાછી પડવું જોઇએ નહીં. ભગવાન જેવો આપનાર બેઠો છે તેથી ખૂટવાનો સવાલ જ નથી. માણસે કદી દિલ નાનું ન કરવું જોઇએ. ‘આપતાં જાઓ અને તમને મળતું જશે' એ કુદરતનો કાનૂન છે. ‘લક્ષ્મી દાનાનુસારિણી' અર્થાત્ લક્ષ્મી હંમેશાં દાનને અનુસરે છે. એક રાજા ખૂબ દાનવીર હતો. તે વિદ્વાનોને તેમજ કલાકારોને ખૂબ જ મોટાં ઇનામો આપીને નવાજતો. પ્રજાનું દુઃખ દૂર કરવા તે છૂટે હાથે પૈસો ખરચતો. સાધુસંતો ને બ્રાહ્મણો તેના રાજ્યમાં સદા સંતૃપ્ત રહેતા. એના પ્રધાનને રાજાની આ દાનશૂરતા ખૂબ જ ખટકતી. તે અવારનવાર રાજાને દાન આપતાં અટકાવવાનો માણસે કદી દાનપરાધીન ન બનવું જોઈએ, દેવ અનુકૂળ હોય તો આપીને ખૂટશે નહીં અને દેવ પ્રતિકૂળ હશે તો રાખીને બચશે નહીં. આપેલું જ માણસને પાછું મળે છે, રાખેલું નાશ પામે છે. તેથી અનુકૂળ કે પ્રતિકૂળ બધી જ પરિસ્થિતિઓમાં માણસે દાનાભિમુખ રહેવું જોઇએ. આપણે સૌદેવ દાનાધીન બનીએ. ૩૩ ૩૪.
SR No.034397
Book TitleBharatiya Sanskritima Dan Bhavna
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy