SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ * સાધુના આચારો આ શરીર દ્વારા ન પાળી શકાય તેવી સ્થિતિ હોય. * આવા સંયોગોમાં ગુરુની આજ્ઞાથી સ્વેચ્છાએ દેહ, છોડવા માટે વ્રત લેવાતું હોય છે. * યુદ્ધ, દુકાળ, અધર્મથી જાતને રક્ષવા વિષમ સંજોગોમાં શિષ્ય, સાધુ, ગૃહસ્થ કે ભક્તને ગુરુમહારાજ આજ્ઞા આપે છે. જૈન શાસ્ત્રોમાં મૃત્યુના જે વિવિધ ૧૭ પ્રકાર બતાવવામાં આવ્યા છે તેમાં સંલેખના વ્રત માટે ત્રણ પ્રકારના મૃત્યુને વિશિષ્ટ દર્શાવેલ છે, જે સકામ મરણના ત્રણ પ્રકાર છે --- ૧) મૃત્યુ વખતે આહાર-પાણી વગેરે ન લેવા તે ભકત પ્રત્યાખ્યાન મરણ. ૨) ચાર પ્રકારના આહાર પચ્ચખી ઉપરાંત જગ્યાની મર્યાદા બાંધી લીધી હોઈ ઈશારાથી જીવન ચાલે-ઇંગિત મરણ. ૩) વૃક્ષની શાખાની માફક શ્વાસોશ્વાસ નીકળી જાય ત્યાં સુધી પડી રહેવું તે પાટોપગમન મરણ કહે છે. સંથારા-સંલેખના વ્રત દ્વારા મૃત્યુ એ આત્મહત્યા નથી. તપ છે. અહીં સભાનતાપૂર્વક મૃત્યુને સ્વીકારવાની પૂર્વતૈયારી દ્વારા મૃત્યુનું સ્વાગતા કરી મૃત્યુને મહોત્સવ બનાવવાની વાત છે. વ્રત લેનાર વ્યકિત ... * લૌકિક સુખની આકાંક્ષા કરતો નથી. *પરલોકના સુખની પણ અપેક્ષાક કરતો નથી. * વ્રત દરમિયાન પ્રેમ, આદર કે પ્રસિદ્ધિ મળે તેવા ભાવ પણ ન હોય અને તે માટે વધુ જીવવાની ઇચ્છા પણ ન કરે. * કષ્ટ વધતાં મૃત્યુ જલદી આવે, દેહ જલદી છૂટે તેવું પણ ન ઇચ્છ-સમતામાં રહે. * ભોગોપભોગની પણ ઇચ્છા ન થાય. સંલેખના-સંથારાનું વ્રત લેનાર તપસ્વીને આવા અતિચારો-દોષ ન લાગે તે માટે ‘નિર્ચામણા કરાવનાર એટલે તેની વૈયાવચ્ચ સેવા કરનાર સાધુ કે વ્યક્તિ સતત જાગૃતિ રાખે છે. સાધકને સતત આત્મરમણતામાં રહેવા મટે પ્રોત્સાહિત કરે છે. શરીર રોગોથી ઘેરાયેલું હોય, અશાતા વેદનીયના પ્રબળ ઉદયે દેહમાં તીવ્ર પીડા હોય, દેહ મૂર્ણિત હોય તે અવસ્થામાં જરા ભાનમાં આવે ત્યારે તીવ્ર વેદના કહે કે હવે મૃત્યુ આવે તો સારું ને વળી પાછો મૂછમાં જાય ત્યારે સ્વજનો અનુકંપા પ્રેરિત મૃત્યુનો વિચાર કરે, “મર્સિકિલિંગ.” આવા મૃત્યુમાં મૃત્યુ પૂર્વેની સાધના-આરાધનાનો કોઈ અવકાશ રહેતો નથી ત્યારે સંલેખનામાં મૃત્યુ પૂર્વેની આરાધના અભિપ્રેત છે. શ્રાવક ત્રણ મનોરથ સેવે છે. પહેલું, વ્રતી શ્રાવક બનું, પછી પંચ મહાવ્રત સ્વીકારી સાધુ બનું અને છેલ્લે સંલેખના-સંથારા સહિત સમાધિમરણની પ્રાપ્તિ કર્યું. એક જ ભવમાં ત્રણે મનોરથ ચરિતાર્થ કરનારા સાધક પોતાના જીવનમાં કાંચનમણિ યોગનું સર્જન કરે છે, જાણે સંયમ જીવનરૂપી સોનાના મુગટમાં મૃત્યુરૂપી ઝળહળતો મણિ. સંથારો એ આત્મહત્યા નથી, હતાશાના સંયોગો, લાચારી કે અસહિષ્ણુતાની સ્થિતિ, આબરૂ કે પ્રતિષ્ઠા ગુમાવવાનો ભય અંતે આત્મહત્યામાં પરિણમવાની શક્યતા હોય છે. આર્તધ્યાન કે રૌદ્રધ્યાના પછી માનવ આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે. આપણે ત્યાં સતીપ્રથા દ્વારા મૃત્યુના ઘણા કિસ્સાઓ બનતા. આજે પણ ક્વચિત્ બને છે. સ્ત્રી કે (સ્વજન) પતિની (કે સ્વજનની) ચિતા પર બેસી બળી મરે તે સતીપ્રથા છે જેમાં મહામોહનીય કર્મનો ઉદય, આર્તધ્યાન અને અંધશ્રદ્ધા અભિપ્રેત છે. - જીવનસંધ્યાએ અરુણોદય (૧૦૮ આજીવનસંધ્યાએ અરુણોધ્યો
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy