SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે મનુષ્યને અમુક પ્રશ્નો મુંઝવે છે તેમાં નીચેના કારણો મુખ્ય છે. ૧. . ર ૨૧. જીવનસંધ્યા માટે આયોજન બ છે મૃત્યુનો ભય. માંદગી અને વેદનાનો ભય. અનરક્ષાભય - પરવશપણું - ઓશિયાળાપણું. પરિગ્રહની ચિંતા - મૃત્યુ બાદ પોતાની મિલ્કતની વ્યવસ્થા વિષે ચિંતા. જોડકામાંથી (couple) માંથી એકની વિદાય થતાં એકલવાયાપણાનો ભય અને તેની ચિંતા. બાળકો પાસે રાખેલી અપેક્ષામાં નિરાશા. બાળકો સાથે ઘરમાં અને ધંધામાં સૂમેળનો અભાવ. (Generation Gap) બાળકો વિષે અને તેમના ભવિષ્ય વિષે ચિંતા. નિવૃત્તિ માટે તૈયારીનો અભાવ, વૃધ્ધાવસ્થામાં નવી જીવન પધ્ધતિ અપનાવવાની અનઆવડત, સમયનો ઉપયોગ કરવાની અણસમજ. આજીવિકાનો ભય-નિવૃત થયા પછી વધતી મોંધવારી અને ઓછાં સાધનોમાં ખોટી પડતી ગણતરીઓ. : હું | દિનેશભાઇના એક મિત્ર અમેરિકાથી આવ્યા M.A. (અર્થશાસ્ત્ર) અને A.S.ની ડીગ્રી મેળવી અમેરિકામાં વાર્ષિક રૂ. પચાસ લાખા કમાતાં હતાં. પ્રેમલગ્ન કરેલી ભારતીય પત્ની કેન્સરથી મૃત્યુ પામી પછી અમેરિકન સ્ત્રી સાથે લગ્ન કર્યા. પાંચ વર્ષ પછી ડાયવોર્સ થયા. મોટો દીકરો ડ્રગની લતે ચડ્યો. મોટી દીકરી નામચીન મોડેલા હોવાથી તેથી તેની સાથે સંબંધ નથી. નાની દીકરી મગજની અસ્થિર છે તેથી હોસ્પીટલમાં છે. આ મિત્ર અમેરિકાથી મુંબઈ આવી હવે બચેલી પાછલી જંદગી ક્યાં અને કેમ વીતાવવી તેનું માર્ગદર્શન માગી રહેલ છે. અમેરિકા છોડી હિંદુસ્તાન પાછા આવી જવાનું પણ વિચારતા હતાં. જે ઉપરના પ્રશ્નો અને મુંઝવણોનું યોગ્ય સમાધાન ન પ્રાપ્ત થાય તો ઘડપણ બગડે છે અને જેનું ઘડપણ બગડે છે તેનું મહદ અંશે મૃત્યુ બગડે છે અને મૃત્યુ બગડેથી જીવ અવગતિને પ્રાપ્ત થાય છે. માટે દરેક જીવે આ પ્રશ્નોનું યોગ્ય સમાધાન મેળવવું અત્યંત જરૂરી છે. તે માટે વૃધ્ધાવસ્થાની તૈયારી કરવી ઘટે છે. ઉપરની ઘટનાનું દિનેશભાઇ મોદી વિશ્લેષણ કરે છે. ઉપરની ઘટના વાંચી સહેજે વિચાર આવે કે આવો બાહોશ, તેજસ્વી, હોશિયાર અર્થશાસ્ત્રી પણ કેવો ભાંગી પડ્યો ! જ્યારે વૃધ્ધાવસ્થાના ઓળા, પડછાયા પડવાના શરૂ થયા છે ત્યારે સાધારણ -જીવનસંધ્યાએ અરુણોધ્ય) - ૫ - મનુસ્મૃતિમાં જીવનની અવસ્થાઓને ચાર વિભાગોમાં બેંચી દેવામાં આવી છે. ૧, યુવા વસ્થા (બ્રહ્મચર્યાશ્રમ) ૨. ગૃહસ્થાશ્રમ ૩. વાનપ્રસ્થાશ્રમ ૪. સંન્યસ્થાશ્રમ. દરેક અવસ્થા માટે શારીરિક બ જીવનસંધ્યાએ અરુણોધ્ય (૭૬
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy