________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
પ્રદાન કરે છે. જેથી આ teachers ની quality upgrade થાય છે અને બાળકોને ઉત્કૃષ્ટ કક્ષાનું ધાર્મિક શિક્ષણ મળી રહે. Teachers (Didi's અને Sirs) ની આધ્યાત્મિક ઉન્નતિ હેતુ સર્વ દીદીઓને whatsapp દ્વારા every week એક નિત્યક્રમ આજ્ઞા મોકલવામાં આવે છે. જે તેમના આત્મ વિકાસ માટે લાભદાયી બની રહે છે.
Look N Learn માં જતા બાળકોના વર્તન અને જીવનશૈલીમાં parents ને પરિવર્તન દેખાવા લાગ્યું. તિથિના દિવસે (આઠમ / ચૌદસ | પાખી) કઠોળને જોઈ મોઢું બગાડતો પહેલાનો એ જ બાળક હવે ઘરે આવીને માતા-પિતાને સમજાવા લાગ્યો કે તિથિના દિવસે તો આયુષ્યનું બંધ થાય છે. એટલે આપણે green Vegetables ન ખવાય. બાળકોની સાથે સાથે parents માં પણ જાગૃકતા આવવા લાગી અને Look N Learn ની લોકપ્રિયતા વધવા લાગી. આજે ભારત અને વિશ્વભરમાં ૧૦૦ થી વધુ centres પૂજ્ય ગુરુદેવના નિર્દેશ અને પ્રેરણાથી સુચારુ રૂપથી ચાલી રહ્યા છે.
આર્ય સંસ્કૃતિથી દૂર એવા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રો જેમકે યુ.એસ. યુ.એ.ઈ., દુબઈ, સુદાન, મલેશિયા વિગેરે સ્થાનોમાં પણ Look N Learn ના સેંટરો દ્વારા બાળકોમાં જૈન ધર્મના સંસ્કારોના બીજારોપણ થઈ રહ્યું છે.
Look N Learn ના ક્લાસ અઠવાડિયામાં એક વખત ૧.૩૦ કલાક માટે હોય છે. ક્લાસમાં સૌ પ્રથમ બાળકોમાં જૈન ધર્મના concept પ્રત્યે જિજ્ઞાસા ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યારબાદ પ્રેમાળ અને મૃદુ દીદીઓ અને સર તેમના બાળસહજ મનમાં ઉઠતા દરેક પ્રશ્નોના જવાબ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ (scientific reasons) થી ખૂબજ રસપ્રદ રીતે સમાધાન કરે છે. બાળકોને જૈન ધર્મના ગૂઢ રહસ્યો એકદમ સરલ અને અનેરી પદ્ધતિ દ્વારા શીખવવામાં આવે છે. short animated movies, power point presentations, colourful flex, models વિગેરેની સહાયથી ક્લાસને attractive બનાવવામાં આવે એ જેથી બાળકોનો
૧૩૪ :
જૈનદર્શનમાં કેળવણી વિચાર
રસ જળવાય રહે. સામાયિક અને પ્રતિક્રમણના સૂત્રને કંઠસ્થ શુદ્ધ ઉચ્ચારણ સાથે કરાવવામાં આવે છે. સૂત્રના દરેક અક્ષરનો અર્થ colourful picture ના માધ્યમથી સમજાવી સૂત્રનો ભાવાર્થ પણ સમજાવવામાં આવે છે. વિવિધ ક્રિયાઓ જેમકે, વંદના, નમોત્થણં, કાઉસગ્ગ વિગેરેની proper મુદ્રા, વિધિ અને technique શીખવવામાં આવે છે. એની સાથે તેનાથી થતા લાભો અને તેની પાછળના અને scientific angles પણ જણાવવામાં આવે છે. જેથી દરેક concepts ની clarity થાય છે.
Look N Learn નો દરેક ક્લાસ અલગ અલગ રીતે લેવામાં આવે છે. ભક્તિ, યોગા, meditation, story, quiz વિગેરેથી ને બાળકોને જ્ઞાન પ્રાપ્તિ સાથે relaxation પણ થઈ જાય છે. Arts and Crafts દ્વારા તેમનામાં creativity લાવવામાં આવે છે. દરેક topic પછી attractive, colourful work sheets જે કે english માં હોય છે તે solve ક૨વામાં આવે છે.
Look N Learn માં સૂત્ર કંઠસ્થની સાથે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો જેમકે વિનય, દાન, શીલ, તપ, દયા, કરૂણા, પાંચ અભિગમો વિગેરેની વિગતવાર સમજ આપી તેમના આત્મામાં ગુણો પ્રજ્વલિત કરવાનો પ્રયાસ થાય છે.
જૈનત્વના સંસ્કારોની સાથે માનવતાના ગુણો જે તેમને ભવિષ્યમાં એક આદર્સ શ્રાવક બનાવશે. તેવા Concepts શીખવવામાં આવે છે. જેમકે Positive Thinking, Anger Management day-to-day life i successful i ઉપયોગી બને છે. Look N Learn માં આવતા બાળકનું એક overall વિકાસ થાય છે. તે બાળક વિનયવાન, સંસ્કારી, સેવાભાવી અને disciplined હોય છે. તેના હૃદયમાં એક અપૂર્વયોગનું સર્જન થાય છે. જેનાથી એને સ્વયં આત્મા પ્રત્યેની જાગૃતિ અને મોક્ષયાત્રા શરૂ કરવાની તડપ અને સમજણ જાગે છે.
* ૧૩૫ *