________________
4 વિનયધર્મ
Peon ઈન્દ્રિયો શિથિલ થતાં તે શક્તિ ઘટી જાય છે. બળનું અભિમાન કરવાથી રાવણ અને દુર્યોધન જેવાઓનો પણ વિનાશ થયો. દુનિયામાં મશહુર ગામા પહેલવાનને જિંદગીની છેલ્લી અવસ્થામાં શરીર પરથી માખી ઉડાડવાની પણ શક્તિ નહોતી! કર્મરૂપી શત્રુએ આપણા આત્મવૈભવને ઢાંકી દીધો છે, તે કર્મરૂપી વૈરીનો સંહાર કરવામાં આપણી શક્તિનો ઉપયોગ કરવો તે આપણી શોભા છે. જો આપણે શારીરિક શક્તિ પામ્યા હોઈએ તો પરોપકાર, દાન તથા તપ, શીલ અને ચારિત્રપાલનમાં તેનો ઉપયોગ કરવો જોઈએ.
(૬) ઋદ્ધિમદ - સાધક જેમજેમ મોક્ષમાર્ગમાં આગળ વધે છે. તેમતેમ તેને અનેક રિદ્ધિ-સિદ્ધિઓ પ્રગટે છે. જો આ રિદ્ધિ-સિદ્ધિમાં તે અટકી જાય અથવા તેનો દુરુપયોગ કરે તો સાધક સાધનાના શિખર પરથી ગબડી જાય છે. સાચા સાધકને “માત્ર મોક્ષ અભિલાષ” હોય છે. રિદ્ધિ-સિદ્ધિની તેના અંતરમાં કોઈ સ્પૃહા હોતી નથી.
(૭) તપસંદ : તપ કરવાથી કર્મોની નિર્જરા થાય છે. મદ તો તપનો નાશ કરનાર છે. તપ કરીને તો આત્મશુદ્ધિ કરવાની છે, તેને બદલે જો એ તપનું અભિમાન કરીએ તો આત્મકલ્યાણ ક્યાંથી થાય? વીતરાગ પ્રભુએ બતાવેલા ૧૨૩ પ્રકારનાં તપ લોકોને દેખાડવા માટે કે લોકોમાં પોતાની પ્રશંસા થાય તે માટે કરવામાં નથી, પરંતુ કર્મનો ક્ષય થાય તે અર્થે કરવાનાં છે.
(૮) રૂપમદ :- શારીરિક સૌંદર્ય જો આપણે પામ્યા હોઈએ તો તેનું અભિમાન કરવાનું નથી, કારણકે રૂપ વિનાશી છે. જ્યાં શરીર જ આપણું નથી, તો તેને આશ્રિત રૂપ આપણું ક્યાંથી હોઈ શકે? જવાની તેનું નામ જવાની. જે ભરયુવાનીમાં સુંદર દેખાય છે તે દેહ વૃદ્ધાવસ્થા આવતાં જર્જરિત થઈ જશે, ચામડીમાં કરચલીઓ પડી જશે, આંખે દેખાશે નહિ, કાને સંભળાશે નહિ, લાકડીના ટેકે ચાલવું પડશે! માટે શરીર અને તેના આધારે રહેલા રૂપનું અભિમાન કરવા જેવું નથી.
વિનયના પ્રકાર વિનયના મુખ્ય ચાર પ્રકાર છેઃ
(૧) જ્ઞાન વિનય :- જ્ઞાની, જ્ઞાન, જ્ઞાનનાં સાધનોનો વિનય કરવો તે જ્ઞાન વિનય.
(૨) દર્શન વિનય :- સમ્યગ દર્શન, સમ્યક્ દષ્ટિ, સમ્ય દર્શન માટેનાં સાધનોનો વિનય કરવો.
છે ૭૫ –
© ©4વિનયધર્મ PC
(૩) ચારિત્ર વિનય :- ચારિત્ર અને ચારિત્રધારી શ્રાવક અને સાધુઓનો વિનય કરવો.
(૪) ઉપચાર વિનય :- માતા-પિતા, શિક્ષકો, ઉપકારીજનોનો વિનય કરવો.
વિનયગુણની ખિલવણી માટે શું કરવું?
(૧) માતા-પિતા, ગુરુજનો, ઉપકારીઓના ઉપકારને યાદ રાખી તેઓના પ્રત્યે વિનયી રહેવું.
(૨) સાધર્મી બંધુઓને હાથ જોડી જય જિનેન્દ્ર કહેવું.
(૩) હું આઠ મદદદથી રહિત વિનયી સ્વરૂપી આત્મા છું. આ પ્રમાણે મંત્રલેખન કરવું.
(૪) સવારે ઊઠીને પ્રભુ-ગુરુને યાદ કરીને વંદન કરવાં, વચનથી સ્તુતિ કરવી, કાયાથી નમસ્કાર કરવાં.
(૫) સન્શાસ્ત્રોનો યથાયોગ્ય વિનય કરવો. (૬) દાસ્યભક્તિ કેળવવી. દા.ત. હનુમાનજી, રૈદાસજી, લઘુરાજસ્વામી. (૭) માનાદિક શત્રુ મહ, નિજ દે ના મરાય;
જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. વિનયગુણને કેળવવા માટે મહાપુરુષોનાં વચનો (૧) નમો, તો ભવમાં નહીં ભમો (૨) વિદ્યા વિનયન શોભતે! (૩) ઊંચા ઊંચા સબ ચલે, નીચા ચલે ન કોઈ,
નીચા નીચા જો ચલે, સબસે ઊંચા હોઈ. (૪) જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન;
ગુરુ રહ્યા છમસ્થ પણ વિનય કરે ભગવાન. (૫) એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ;
મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. (૬) દાસ કહાવન કઠિન હૈ, મેં દાસનકો દાસ,
અબ તો ઐસા હો રહે, કિ પાંવ તલકી ઘાસ, (૭) નમતાથી સૌ કો રિઝ, નમતાને સહ માન,
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન.