SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ઉhસંહાર ૨૬૯ દેવેને સતેષવા. હવે આ માણસ જ્ઞાન મેળવે, ચારિત્ર લે અને તપ પણ કરે છે તે તેનું બધું કરેલું અર્થશૂન્ય છે ! અર્થાત્ આ ચારે પદમાંથી એક પણ પદને છોડી દઈ શકાતું નથી; ચારે પદેને સમગ્ર રીતે લેવાના છે. આ રીતે એ નવ પરસ્પરાવલંબી પદેને વિચાર કરશે તે માલુમ પડશે કે આ નવપદમાં એકે પદની ગૌણતા નથી કિંવા કઈ પણ બીજા એકની અપેક્ષાએ બીજા કોઈપણ પદની વિશેષતા નથી અર્થાત્ નવે નવપદ સમગ્ર રૂપે સરખાજ મહત્વના છે, નવે નવની એક સરખી મહત્તા છે. આ નવપદને સમગ્ર રૂપે સરખું મહત્વ આપીને જ માનવાના છે; આરાધવામાં જૂનાધિકતા હોય, પણ માન્યતા સમાન હોય. હવે છેલ્લી એક વાત બાકી રહે છે. આપણે એ વાત તે સારી રીતે જોઈ લીધી છે કે નવપદના ન પદે મહાન છે, સરખા મહત્વના છે અને તેથી તેમને આરાધવા જોઈએ. સમગ્રરૂપે એ ચક્રને ધ્યાનમાં રાખી દરેક પદની આરાધના માટે એકેક દિવસ રાખે છે તે એટલાજ માટે કે દરેક પદના ગુણે પૂર્ણ રીતે ખ્યાલમાં આવી શકે અને તેની આરાધના કરી શકાય. હવે મુખ્ય વાત વિચારવાની છે તે એ વાત છે કે આ નવે પદનું આરાધન શા માટે, શા હેતુથી કરવાનું છે? સિદ્ધચકના સઘળાં પદની ફરીથી તપાસ કરે, પહેલું પદ મોક્ષતત્વનું શોધક, બીજું પદ સ્વયં મેક્ષરૂપ, ત્રીજું, ચોથું અને પાંચમું પદ મોક્ષમાર્ગના ઉપાસક અને ઉપદેશક અને છઠું, સાતમું, આઠમું અને નવમું પદ એ મોક્ષને માર્ગ જાતેજ ! હવે વિચાર કરે કે બ્રહ્મચર્યમંદિરમાં લગ્ન કે ઉપભેગની વાત હોઈ શકે ? કિંવા
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy