SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ જ્ઞાનપદ જાય એવી ઉગ્ર તપસ્યાઓ અને આરાધના, પરંતુ તેનું ફળ પણ એજ છે કે પાપને–સઘળા પાપને વિનાશ ! આ બધાથી પણ એજ વસ્તુ નિષ્પન્ન થાય છે કે નવપદની આરાધનામાં આત્માને સર્વ કર્મથી રહિત બનાવી મોક્ષપ્રાપ્તિ કરાવવી એજ નવપદારાધનાને મુખ્ય અને મહાન હેતુ છે; બીજે કઈ પણ હેતુ આ આરાધનાને અંગે રહેલ નથી જ. મુંબઈ જવું હોય તે મુંબઈની ટિકિટ લઈને જ ગાડીમાં બેસવું પડે છે. હવે ગાડીમાં બેઠા પછી વચ્ચે પાલઘર આવી જાય, એ જુદી વાત છે, પરંતુ પાલઘર જવાને ઉદ્દેશ તે છેજ નહિ. ઉદ્દેશ તે માત્ર મુંબાઈ જવાને જ છે. એ રીતે નવપદારાધનાથી પદ્ગલિક સમ્પતિ મળી જતી હેય તે તે જુદી વાત છે; પરંતુ આરાધનાને હેતુ તે આત્મકલ્યાણ એ છે. આત્મકલ્યાણ એને મુંબાઈ સમજે, અને પાલાર એને પૌગલિક સંપત્તિ સમજે. આત્મકલ્યાણરૂપ મુંબઈ બંદરે જતાં પાલઘર રૂ૫ પગલિક સંપત્તિ આવી જાય એ એક વસ્તુ છે; પરંતુ ઉદ્દેશ પાલઘરરૂપ પધ્ધતિક સંપત્તિને નહિ, પરંતુ મુંબઈ જવાને અર્થાત્ આત્મપદપ્રાપ્તિને જ છે એ વાત ખૂબ ખૂબ ધ્યાનમાં રહેવી જોઈએ. માંગણમાં પણ “ ત્યાગ ! સર્વ કર્મથી રહિત થવું અને મોક્ષ પ્રાપ્ત કરે એજ ઉદ્દેશ નવપદની આરાધનામાં હવે જોઈએ એ વાત સ્પષ્ટ કર્યા પછી હવે આપણે આગળ વધવાનું છે. નવપદના પહેલા પાંચ પદોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિકાસને આપણે વિચાર કર્યો છે તે પછી સમ્યગદર્શનનું સ્વરૂપ જણાવ્યું
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy