SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૮૪ સું તે જગે જગાએ કહેલું છે, તે દેવેન્દ્ર દ્વારા કહેવું તે જ વ્યાજબી છે. વસ્તુ ન સમજે તે કહે કે સૂત્રમાં કયાં લખ્યું છે? સજજન પતે કહે જ નહિં કે હે સજજન છું. મને માન આપે તેમ કહે જ નહિં. પંચ પરમેષ્ઠિમાં મૂળગુણ ધારણ કરનાર સિવાયનાને પ્રવેશને હક નથી. આથી મૂળગુણવાળે જ ઉપદેશક જોઈએ. આથી આચાર્યાદિક સકષાયી પ્રમાદી છતાં અકષાયને અપ્રમત્તને ઉપદેશ આપી શકે. આથી ટપાલીપણું પાંચ મહાવ્રતવાળાને જિનેશ્વર આપ્યું છે. ઉપદેશ કરવાનો શ્રાવકને અધિકાર નથી તે વિપરીત પ્રરૂપણાને કેમ આલાવવાની? અસરને મ ત વિકરતા પહેલા પ્રરૂપણ કરવાને હક નથી તે ખોટી પ્રરૂપણા આલોવવાનું રહ્યું કયાં? કાં તે પ્રરૂપણાને હક આપો, નહીંતર એ પદ કાઢી નાખો. ત્યાં જ સમાધાન આપ્યું છે. ગુરુ મહારાજ જિનેશ્વરના ટપાલી, તેમ ગુરુ મહારાજને ટપાલી શ્રાવક બને. ૧-૨-૩ દહાડા પૂરતી. આજ ગુરૂ મહારાજે આમ કહ્યું. ગુરુએ દીધેલી દેશના આખા કુટુંબને સંભળાવે, સાંજે ભેજન પડિકમણું કરી ઘેર ગયા હોય ત્યારે ઘરમાં બધા કુટુંબને એકઠા કરી, “ગુરુ મહારાજે વ્યાખ્યાનમાં આમ કહ્યું', આવી રીતે ૧-૨-૩ દિવસની વાત સંભળાવતાં ઉલટું થયું હોય તે વિપરીત પ્રરૂપણાથી પ્રતિક્રમણ કરવાનું છે. આથી ત્રીજી ભૂમિકામાં દાખલ થએલે પિતાને નુકશાન ને ફાયદાના અનુભવમાં આવો જોઈએ. એ જ બીજાને કહી શકે. બે લહરકા જેટલું પણ આત્માને નિર્મળાપણું કરે તે જ બોલવાને હક છે. ક્રોધાદિક ખરાબ છે. તે પિતાના આત્માને સમજાવવામાં કેટલો ટાઈમ લીધે? હવે તે ભૂમિકા કઈ તે અધિકાર અગ્રે વર્તમાન. વ્યાખ્યાનનો સારાંશ એ છે કે ઉપદેશક કોણ થઈ શકે? પંચ પરમેષ્ઠિમાં શ્રાવક કેમ નહિં? શ્રાવકને ઉપદેશ દેવાને હક નથી તે વિપરીત પ્રરૂપણું કેમ કીધી? પ્રવચન ૧૮૪ મું ભાદરવા વદી ૯ બુધ શાસ્ત્રકાર મહારાજા ૨૧ ગુણનું વર્ણન તેના દષ્ટાંતે જણાવી ગયા પછી શ્રવણ ને જ્ઞાનભૂમિકા પ્રાપ્ત થઈ. પણ ત્રીજી ભૂમિકા પ્રાપ્ત થવી મુશ્કેલ છે. શાસ્ત્રોનું શ્રવણ વિગેરે દુર્લભ માનીએ છીએ. શારીના શ્રવણ વચ્ચે ગાઠ માનતા નથી. ગ્રંથિભેદ થાય તે જ શ્રવણ મળે તેમ
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy