SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૦૧ મું. [ ૭૩ નિયમ પ્રમાણે ગ્રંથ રચતા એક અર્ધી માત્રા ઓછી રચવી પડે અને તેજ મૂળ અર્થ સમજાય તે પુત્રજન્મ સરખા આનંદને પામે છે, જે કે શ્રદ્ધા રાખ્યું હેત તે જે વડે કરીને કરાય એ અર્થ ન થાત કરણપણાની પ્રતીતિ કરાય ત્યાં અર્થ થાય. બીજા સ્થાનમાં તેટલી પ્રતીતિ થવી મુશકેલ પડે. જેમ તમારે લખવું તે લખન લખનારો તે લેખક, લખાય જે વડે કરીને તેનું નામ લેખણ, તેવી રીતે અહીં શ્રદ્ધા કરાય જેનાવડે કરીને તેનું નામ શ્રદ્ધાનં તત્ત્વાર્થકાર-કમગ્રંથકારે જીવાદિક-દેવાદિકની શ્રદ્ધા સમ્યક્ત્વ રૂપ નથી, પણ શ્રદ્ધા એ સમ્યફત્વનું કાર્ય છે. તે દેવાદિકની શ્રદ્ધા-જીવાદિકની શ્રદ્ધા એ સમ્યક્ત્વનું કાર્ય. એક વાત ધ્યાનમાં રાખજે કે-શ્રદ્ધાની જરૂર નથી એવો અર્થ ન લેશે. જે વિચારવાળો હોય તેવાને જીવાદિક-દેવાદિકની શ્રદ્ધા હોય, તે જ સમ્યક્ત્વ હોય. પણ માટી હવા વિગેરે મળેલા હોય તો અંકૂરો થાય, તે બીજ શક્તિવાળું ગણાય. એવી રીતે અહીં જે જેને સંગીપણું મન વિચાર તેમને શુદ્ધ દેવાદિક-જીવાદિકની શ્રદ્ધા થવી જ જોઈએ. એ. થયા વગર કદી એમ કહી દે કે જીવાદિકની શ્રદ્ધા જે વડે કરાય તે સમ્યક્ત્વ, માટે જીવાદિકની-દેવદિકની શ્રદ્ધા રાખીએ તેએ ઠીક ને ન રાખીએ તે એ ઠીક. પછી તેવાને કહેવું કે “તું નિર્વિચાર છું”—એમ તો બોલ. પર્યાપ્તિવાળો હોય, મન:પર્યાપ્તિવાળો હેય, શક્તિવાળે હેય તો જીવાદિક-દેવાદિકને માને ત્યારે જ સમકતવાળો કહેવાય. આ ઉપરથી દેવાદિકની જીવાદિકની શ્રદ્ધા ખુદ સમ્યકત્વ રૂપ નથી, પણ સમ્યક્ત્વના કાર્યરૂપ છે. અગ્નિ કારણ અને દાહ કાર્ય છે પણ બાળવાનો પદાર્થ મળે તે અગ્નિ બાલ્યા વગર રહેવાનું નથી. એવી રીતે આ આત્મા સમ્યક્ત્વવાળો થાય એટલે મનના પુદ્ગલે મળે એટલે સમ્યકુત્વપણે પરિણાવે છે. તેવી રીતે જે આત્મા સમ્યકત્વવાળો થયે કે તરત શ્રદ્ધાવાળો જ થાય. અગ્નિને લાકડું મળે તે બાળવાપણામાં આંતરું કર્યું? તેવી રીતે સમ્યકત્વવાળાને મનના યુગલો મળે તે દેવગુરુ આદિની શ્રદ્ધા રૂપ કાર્ય થયાં કરે છે. આપણે દેવગુરુધર્મની શ્રદ્ધાને કાર્ય ગણીએ છીએ. સમ્યફ કેવળ આંત્માને ગુણ છે અને ૧૦
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy