SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] શ્રી આગમાદ્વારક-પ્રવચન-શ્રેણું નહિં, કમના હુકમ પ્રમાણે આ વેષ ભજવાય છે એવું જાણે અને એવા જે અંતરાત્મદષ્ટિવાળા હોય તેવાઓને અનુકૂળતામાં આનંદ ને પ્રતિકૂળતામાં અફસેસ હોતું નથી. કર્મના કરેલા વિકારો ભેગવું છું એવું માને તેવાઓને અંતરાત્મા કહેવાય. ત્યારે અંતરાત્મા એટલે સમ્યગદષ્ટિ અને એ શું દુનિયાના કામથી અલગ હોય? જે ઉપાધિમાં વિંધાય તે મિથ્યાષ્ટિ પણ જો તમે પ્રશ્ન કરે છે તે હિસાબે ગણીએ તે દેશવિરતિ ગુણઠાણું મુશ્કેલ છે, અવિરતિ સમ્યગૃષ્ટિનું ગુણઠાણું એ પણ મુશ્કેલ છે. એ ગુણઠાણ કેને હોય? દષ્ટિએ અંતરાત્મા છતાં પ્રવૃત્તિ દુનિયાદારીની હાય, વ્રત, પચ્ચખાણ ન લઈ શક્યા હોય એ ચોથે ગુણઠાણે છે. હૃદયમાં અંતરાત્મ-દષ્ટિ છે. વ્રત, પચ્ચકખાણવાળા પાંચમે ગુણઠાણે હોય, સમ્યકત્વ હોવાથી અંતરાત્મ દષ્ટિ માનવી પડશે અને તેઓ દેશથી વિરમીને રહ્યા હોય છે. એક આને વિરતિ ને પંદરઆના છુટાછેડા રાખ્યા તે શાથી? એમાં પણ કર્મરાજાને પ્રભાવ છે. તેથી કૃષ્ણ, શ્રેણિક વિગેરે મહારાજા સરખા જિનેશ્વર પાસે સ્તુતિ કરતા બોલે છે કે-પૂર્વ કર્મના ઉદયને લીધે આરંભમાં આસક્ત, વિષય કષાયમાં વહી ગએલા, કુટુંબના કીચડમાં ખૂચેલા અમારા જેવા પામરને ઉદ્ધાર કરે. એ બધા અંતરામદષ્ટિવાળા ખરા કે નહિં? આરંભાદિકમાં રાચેલા માચેલા અને ખૂચેલા કેમ હોય? જો એવા હોય તે અંતરાત્મદષ્ટિવાળા કેમ કહેવાય? તેમને આરંભની આસક્તિ હતી. આરંભાદિકમાં માચેલા છતાં જેમ ઝવેરાતને વેપારી ખાવા બેઠે હોય અને જોડે જીવન-ઉત્તમ જાતિના મોતીની પિટલી રાખી હોય, ધ્યાન ખાવામાં હોય, ખાવામાં લીનતા છતાં મેતીની પોટલી ઉપર કેઈને હાથ નાખતે દેખે તે ખાવામાં રસ નથી ચાખતે-એમ નથી, પણ ખાટું, મીઠું, કડવું હોય તે તે રૂપે ખોટું ગણે છે, પણ પેલી જીવન પિટલીનું લક્ષ્ય ચૂકતા નથી. તેવી રીતે અવિરતિ સમ્યગદષ્ટિ, વ્રત, પચ્ચફખાણ વગરને, આરંભમાં ડૂબેલે, કષાયથી રહિત નહિં થએલે, છતાં પણ એનું લક્ષ્ય તત્વ તરફ. જેમ પેલે પિટલીને કંઈ ગરબડ થતી હોય તે ખાવું છોડી ઘ, પિટલીને અગે કઈ પણ પંચાત ઉભી થાય તે વખત ભૂખેડાંસ હોય અને પરાણે ત્રણ ઉપવાસ કર્યા હોય તે
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy