SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ - - પ્રવચન ૧૨૮ મું [ ૩૫૩ રાગ છે. ગુનેગાર તરફ રાગ દષ્ટિ છે. તેમનાથજીએ પણ કહ્યું કે-શંકાવાળું વચન જ કહ્યું. નામ નહીં કે ઠામ નહિં. તને દેખીને તે છાતી ફાટીને મરી જશે-એને જાણજે. હવે ગુનેગાર કે નથી જાણતા એ બન્ને સવાલ ન રહ્યા. એવા પ્રસંગે વીતરાગને કેવળીપણું સાચવતા આવડે છે. મારા તમારા જેવાને એ વીતરાગ દશા હતી જ નથી. અહીં કૃષ્ણને અત્યંત અફસોસ છે. સાધુ તરીકે અને કુટુંબ તરીકે. દેવકીને કૃષ્ણાદિક કરતાં અત્યંત વહાલા, માગીને લીધેલા, જેને માટે વિવાહની વ્યવસ્થા કૃણે પોતે કરેલી. આ કારણથી એવી દીલગીરી થઈ કે-રયવાડી ત્યાં ને ત્યાં વિખેરી નાંખી. નેમનાથજી પાસેથી પિતાના મહેલે જવાનો આડં. બર વિખેરી નાંખે, એટલું જ નહિ પણ જાહેર રસ્તે જવું મારે વ્યાજબી નથી. આ ક્ષાયિક સમકિતવાળાને થયું. પિતે બારોબાર ખાનગી રસ્તે જાય છે. અહીં સામીલને લાગેલું કે, તેમનાથજી પાસે ગયા છે, તે તેમને ખબર પડવાની, માટે ચાલ ખાનગી રસ્તે. કૃષ્ણ શેક માટે પેલો ગુનાના ભયથી ખાનગી જાય છે. જ્યાં કૃષ્ણને આવતા દેખ્યા, આગળ આડંબર નથી, નહીંતર કૃષ્ણને દેખવાનો પ્રસંગ આવત નહિં. પિલ સમજે છે કે, કૃષ્ણ આખી જિંદગીમાં આ રસ્તે આવે કે જાય નહિં. આ મારા માટે જ આ રસ્તે આવ્યા છે. હવે મારે બચાવ નથી. ખરેખર ઓર્ડરથી જે કામ કરવાનું હતું તે સાક્ષાત્ પિતે આવ્યા છે, તે નખશીખત સળગી ગયા છે. એ મારી વલે થી નહીં કરે ? છાતી ફાટી ગઈ. પાપી પોતાના પાપે જ મરે છે. અહીં કેઈએ કંઈ કર્યું નથી. કૃષ્ણને નિર્ણય થયે કે-ગજસુકુમાલને મારનાર આજ, ત્યાં જ ઉભા રહ્યા. મરેલા મનુષ્ય ઉપર તિરસ્કાર કયારે વરસાવત? હદ બહારને રોષ હોય તો જ મરેલા ઉપર તિરસ્કાર વરસાવે. ગામમાંથી ચંડાળને બોલાવે છે. બેલાવી દેરડેથી પગે બાંધે, જેવી રીતે કુતરાને તેવી રીતે આને મરેલા કુતરાની માફક બધા ચૌટામાં ફેર. જોડે બોલે કેદુષ્ટ–પાપીન્ટે ભગવાન ગજસુકુમાલને આ પ્રાણ લીધે, આ આ પાપી. આમ ગલીએ ગલીએ ઘસડે. પાછળ બીજા મનુષ્યને રાખેલા કે એના અડેલા રજકણીયા અપવિત્ર હોવાથી પાણી છાંટી રસ્તા પવિત્ર કરે. એક સાધુના ઉપદ્રવમાં કઈ સ્થિતિએ લાગેલું ? નેમનાથ
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy