SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૨૬ મું [ ૩૩૩ માટે ધર્મની છાપ લગાવી દેવી. તેથી અનાએ, હિંસકેએ પિતાની પ્રવૃત્તિને ધર્મની છાપ લગાડી દીધી. આ પણ ધર્મને મહિમા છે. જે ધર્મની આટલી કિંમત હતું તે અનાચાર ઉપર ધર્મની છાપ મારવા જતે નહિ. યજ્ઞવાળાને યજ્ઞની અંદર જે હોમ કરીને જે જીવ મારવા તે માર્યા કહેવાય નહિ. પિતે જ બ્રહ્માએ આ બધા જાનવરોને યજ્ઞને માટે બનાવ્યા છે. યજ્ઞ એ જ આ બધાની વૃદ્ધિ માટે છે, માટે તેમને માર્યા ગણાય નહીં. હવે એ ઉપરથી નીકળતો બંગાથે લે. અહિંસાનું એક છત્રી રાજ્ય છે. યજ્ઞમાં હિંસા કરનારને હિંસા કહીને હિંસા કહી શકાય નહિં, યજ્ઞમાં મારીએ તે પણ હિંસા ન કહેવાય. હિંસા કરવા છતાં, હિંસાને સારી ગણવા છતાં અહિંસાના ઝંડા નીચે તેમને આવવું પડયું. યજ્ઞમાં વધુ ને વધ ન ગણવે, નહીંતર એ કહેવાની જરૂર રહેતા નહિં. અહિંસાની તલવાર આગળ કેઈથી સામું થવાતું ન હતું. અહિં. સાને ડંકો જબરજસ્ત હતો કે તેની સામા થવાની તાકાત કેઈની હતી નહિં. અહિંસાને માર્યો એટલે જબરજસ્ત હતું કે દરેકને તે કબૂલ કરી ચાલવું પડતું. તેથી ધર્મ એ કિંમતી છે કે-દરેકને તેની છાપ લેવી પડે છે. કેટલાક સાચી છાપ ભે, કેટલાક ખોટી , પણ ઓફીસનું જોર એવું છે કે, ચારને, લુંટારૂને, દગલબાજને પણ જેની છાપ લેવી પડે. તેને કારોબાર ધીકતે ન હોય તે પેલાને છાપ લેવાની કંઈ પણ જરૂર ન પડત. આર્યોમાં ધર્મની ઓફીસ ધીકતી છે. જેની છાપ દરેકને લેવી પડે છે. અનાચાર ઉપર ધર્મની છાપ લેવી પડી. આર્યોમાં દેવાદિ ત્રણને ડંકો જે જિનેશ્વરે વગાડ્યો છે, તે એવો કિંમતી જરૂરી છે કે જેથી કરીને બીજાઓ ઉલટા હોય છતાં છાપ દેવની મરાવવી પડી. લીલા કરે, જાદવકુળના બાળક બને, છતાં ગુરૂપણની છા૫ લેવી પડે. અનાચાર હિંસક ચોર બને, છતાં છાપ ધર્મની મરાવે. આથી આર્યક્ષેત્રમાં દેવાદિ ત્રણના સીકકા એવા પ્રચલિત થયા છે કે, એ સીક્કા વગર ચાલતું નથી. જ્યારે જૂઠા મા શરૂ થાય ત્યારે સાચા માર્કવાળાને ઘરાકને સાવચેત કરવા પડે, માટે ખાત્રી કરીને માલ લેજે, તેવી રીતે શાસ્ત્રકારોને પોતાની ઓફીસથી ઓર્ડર કાઢ પડ્યો કેદેવ, ગુરુ, ધર્મની પરીક્ષા કરીને લેજે. જે અમારી બેટી છાપ દેખી
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy