SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪] શ્રી આગમાદ્વારક-પ્રવચન-શ્રેણી કરે જ નહિ. અનંતા પુગલ પરાવર્ત ગયા તે પણ એક પણ જીવની હિંસા સૂક્ષ્મ નિગદીયાએ કરી નથી, તે ખરેખર એજ અહિંસક ગણાવે જોઈએ. અહીં ચૌદમાં ગુણઠાણાવાળા પણ હિંસક બને છે. નદીમાં સમુદ્રમાં સિદ્ધ થનારા એ પાણીના અંગે કઈ દિશામાં? પાણીના જવાનો ત્યાં વિનાશ છે કે નહિં? અગી કેવળી જે હિંસાને વઈ શક્તા નથી, તે સૂમ નિગોદે વઈ શક્યા છે. માટે હિંસા ન કરવી એટલા માત્રનું નામ ધર્મ કહે તે સૂક્ષમ નિગદીયા મોટામાં મોટા ધમ થઈ જાય. શાસ્ત્રકારે અહિંસા “આ હિંસાના પચ્ચખાણમાં” રાખી છે. જેટલા પચ્ચખાણ થાય તેટલે ધર્મ, પચ્ચખાણ ન થાય તેટલી હિંસા. એટલું જ નહિં પણ હિંસા ન કરે તે પણ ધર્મ નહિં. હિંસાની જેટલી નિવૃત્તિ, જેટલા પચ્ચખાણ તેટલે જ ધર્મ. હિંસા ન પણ કરતો હેય પણ જ્યાં સુધી પચ્ચખાણ કરાય નહિ ત્યાં સુધી ધર્મ છે જ નહિં. આપણે કર્મનું આવવું પ્રવૃત્તિ દ્વારાએ નથી માન્યું, તેટલું અવિરતિ દ્વારાએ માનેલું છે. મિથ્યાત્વ પછી અવિરતિ, પ્રવૃત્તિ એ એક કર્મનું કારણ નથી, પણ નિવૃત્તિ ન થાય તે મોટું કારણ છે. ભાગીદારી નેંધાવ્યા પછી ચોપડા ન જુવે તે પણ તેનું નુકશાન ભરી આપવું જ પડે, જ્યાં સુધી રાજીનામુ ન આપો ત્યાં સુધી નુકશાનીના ભાગીદાર તેવી રીતે આ સંસારની પાપ કંપનીમાંથી જેટલા રાજીનામા આપ્યાં તેટલાથી બજ ચી શકે. ભલે તપાસ ન કરો તે પણ તેને નુકશાનમાંથી બચી શકે નહિં. ખુદ તીર્થકર જે ગર્ભમાં આવ્યા ત્યારથી ત્રણ જ્ઞાનવાળા સમ્યકત્વવાળા છે, છતાં અવિરતિને સ્વીકાર કરે છે. આપણે જાણીએ છીએ, માનીએ છીએ, એમ કહી બચાવ કરવાવાળા વિચારજે કે-તીર્થકર જાણતા ન હતા કે માનતા ન હતા? તે પછી દરેક તીર્થકરોમાં એમ કેમ કહેવાયું કે ઘરથી નિકળીને સાધુપણાને ત્યે. ત્યારેજ અગાર રહિતપણાને–સાધુપણાને પિતે અંગીકાર કર્યું. સમજણમાં, જાણવામાં કે માનવામાં કંઈ ખામી હતી ? ત્રણ જ્ઞાનીએ એ પ્રમાણે જ આચર્યું કે જ્યાં સુધી પચ્ચખાણ ન કરું ત્યાં સુધી કમ લાગવાનું છે. નિગોદીયામાં અવિરતિના કર્મ લાગે છે. નહિંતર તે કેઈની હિંસા નથી કરતાં, એટલું જ નહિ
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy