SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ] શ્રી આગામે દ્ધારક-પ્રવચન-શ્રેણી જીવ વિશેષથી મહાવતેમાં ફેરફાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ફેરફારે ધર્મ ફરતું નથી. જે તેના ફેરફારે ધર્મ ફેરફાર થતો હોય તે યુગલીયાના વખતને પણ ધર્મ કહેવાશે. દ્રવ્યાદિક અનુસારે જે પ્રવૃત્તિ કરવી તેનું નામ ધર્મ હોય તે દરેક વખતે થતી પ્રવૃત્તિને ધર્મ કહેવો પડશે. તે ઋષભદેવ પહેલાં ધર્મને અભાવ કહેવાનું કારણ નથી. ૧૮ કડાકડી સાગરોપમ વખતે દ્રવ્યાદિકના આધારે જ પ્રવૃત્તિ થતી હતી, તે તે વખતે પણ ધર્મ ગણે પડશે. ઋષભદેવજી ધર્મ પ્રવૃતિ આદિક કરનારા નહીં? તો તે ધર્મને અભાવ કેઈ કાળે ગણાય જ નહિં. આથી આશ્રવથી વિરમવું, સંવરને પ્રવર્તાવવો એ સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ ધર્મ છે. તેમાં કોઈ કાળે પરાવૃત્તિ થતી નથી. શંકા–ધર્મમાં પલટો કેમ થયા? સમાધાન–દષ્ટાંત તરીકે પહેલાં અને છેલ્લા તીર્થકરના સાધુનાં આચાર અને બાવીશ તીર્થકરના સાધુના આચારનું પલટાનું કારણ શું? એમના શાસનમાં ધર્મને પલટે કહે છે તે છે જ નહિં? છેલ્લામાં આશ્રવને નિરોધ, સંવરની પ્રવૃત્તિ તેને જ ધર્મ કહેવામાં આવ્યા છે. બાવીશ તીર્થમાં આશ્રવમાં પ્રવર્તવું, નિર્જરા ન કરવી તેને ધર્મ કહ્યા જ નથી. અહીં ધર્મ–ભેદ નથી, આચાર ભેદ છે. એ પણ કાળ ભેદની અપેક્ષાઓ નથી. જીવની બુદ્ધિની અપેક્ષાએ ભેદ છે. સમ્ય દર્શનાદિ નિયમિત હોવા છતાં જે આચારને ભેદ તે લોકોની બુદ્ધિ ભેદને આભારી છે. તે વખતે દસ્તાવેજની જરૂર પડતી ન હતી, ત્યારે લેકમાં કુટિલતા ન હતી. જ્યારે કુટિલતા વધવા લાગી, યાદ રહેવા ન લાગ્યું, ત્યારે દસ્તાવેજ કે લખવાની જરૂર પડી. આ બધું કે આભારી? જીવોની કુટિલતા ને સ્મરણ શક્તિની ખામીને આભારી છે. બનાવટી કાગળ થવા લાગ્યા ત્યારે સ્ટાંપની જરૂર પડી. આ બુદ્ધિ ભેદે કરી આપી છે. કરીને વિવાહ કરે છે. છોકરાને પણ વિવાહ કરી દ્યો છે. રછસ્ટર દસ્તાવેજ કોણે કરી ? અરે જ્યારે ઘરના દસ્તાવેજ કરે, રજીસ્ટર કરાવે તે છોકરા છોકરી જેવી તનની ચીજ એને પરણાવે અથવા છોકરાની વહુ જેવી ચીજ કુળના આધારભૂત વસ્તુ લ્યો, તે તેને દસ્તાવેજ કેમ નથી કરતા? હજુ એવી બુદ્ધિની ખરાબી નથી
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy