SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રવચન ૨ મું તે પણ ધમથી મળે છે. આ ભવ ધર્મ કરશું તે આવતે ભવે આબરૂદાર થઈશું. અપયશ કમને ઉદય એક શેઠને અપજશ કમને સખત ઉદય, બિચાર હજાર ઉપકારના કામ કરે છતાં એને જશ આવેજ નહિં. કેઈ નાનું કામ ઉપાડું ને તેમાં જશ જરૂર લઊં નાતના ચાર આગેવાનને બોલાવ્યા. પૂછયું કે-નાતને સારામાં સારી રીતે જમાડવામાં ખર્ચે શું થાય ? રૂપીઆ, સો દોઢ થાય, ત્યારે શેઠે કહ્યું કે–આ પાંચ રૂપીઆ આપું છું તે તેની એક નાત જમાડી મને જશ અપાવે. દેઢસોની જગપર પાંચસો આપ્યા. નાતવાળાએ ધ્યાન રાખી સામાન તૈયાર કર્યો. કાલે નાત જમ વાની છે. પિતે સાંજે બનાવેલે માલ જેવા ગયો. શિયાળો એટલે ઘી જામી ગએલું હતું. સંધ્યાકાળને વખત છે. દીવા કરવા માટે તેલની તપેલી અંદર પડી હતી. તપેલીમાંથી તેલ ભુલથી નાખી દીધું અને લાડવા વળાઈ ગયા. નાત જમી ઉઠે ત્યાં સુધી મારે આવવું નહીં. લેકેએ ખાવા માંડયું. અરરર! તેલના લાડવા, આનું નામ અપજશ નામ કર્મ. અપજશ કર્મ એ પણ કર્મ છે. જે કર્મની એક અઠ્ઠાવન પ્રકૃતિ જાણનારા છે તે આ વાતથી અજાણ્યા નથી. ત્રસદકશમાં જશ નામકર્મ અને સ્થાવરદશકમાં અપજશ નામકર્મ લઈએ છીએ. અત્યાર સુધી ધર્મને છેડે કયાં લાવ્યા? ધર્મની કિંમત કરી પણ પાંચ ઈન્દ્રિયોના વિષય સુખમાંથી બિચારો નિકળી ન શક્યા, તેમાં સપડાવામાં જે કિંમત કરી તે ખરેખરી કિંમત નથી. જેમ પૂર્વે પટેલના છોકરાની જેમ. અત્તર એ. ચાટવાની કે રોટલામાં ચોપડીને ખાવાની ચીજ ન હતી, પણ સુંઘવાની ચીજ હતી. ઘમની આન જીવે કિંમત કરી. એ કઈ કાળ નથી ગયે કે જેમાં આ જીવે ધર્મ ન કર્યો હોય. જેમ બજારની જાહેર ચીજ સુંદર દેખીને બજારમાં ફરવાવાળે લેવાનું મન ન કરે તેમ બને નહિં, તેવી રીતે જગતમાં ધર્મચી જ એવી સુંદર છે કે તે લેવા મહેનત ન કરી હોય તે બને નહિં. આ જીવે ધર્મ અનતી વખત કર્યો, એમ આપણે અનુભવ પણ કહી શકે છે. બીજી બાજુ દુનિયાથી વિચારીએ તે પુણ્ય કરીને દેવતા રાજા મહારાજા થએલા અને પાપથી દુઃખી થએલા પણ
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy