SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રવાત પ૬ સુ સંસાર ખાલી થઈ જશે તો? . . મોક્ષે ગયા કેટલા? નિગદને અનંત ભાગ. દરેક વીશીએ અસંખ્યાતા મેલ જાય છે. જતાં જતાં કોઈક દહાડો બધા જીવોને મોક્ષ થઈ જશે. સંસારમાં મોક્ષે જવા લાયક કોઈ રહેશે જ નહિ? તેમણે એક વાત ધ્યાનમાં રાખવી. દેવદત્તને યજ્ઞદર દરિયાના કાંઠે ઉભા હતા. દેવદત્ત ટાંકણી બળીને ખંખેરીને પછી ટાંકણું મૂકી દીધી. મૂર્ખ આવી રીતે તો દરિયો ખાલી થઈ જશે, તે ત્યાં જે કોઈ બીજે ઉભેલો હોય તો દેવદત્તને કે યજ્ઞદત્તને બેમાંથી કોને મૂર્ખ ગણે? વિષ્ણુદત્ત કોને મૂર્ખ કહે. અરે ટાંકણી ઉપર પાણી કેટલું આવ્યું કે દરીયો ખાલી થવાની શંકા કરી? ઘડાને કોઠીઓ ભરી લે તે પણ ખાલી થવાની શંકાનું કારણ નથી, તે ટાંકણી બળી તેમાં ખાલી થવાની વાત કરે છે, તો તારી અક્કલ કેવી? દરિયાની અપેક્ષાએ ટાંકણું ઉપરનું પાણું વધારે કે અતીતકાળે મોક્ષે ગયા ને જશે ને જાય છે, તે બધા ભેગા કરીએ ને આ બાજુ એક જ સેયના અગ્રભાગ જેટલો નિગેદ મૂકીએ. દરિયામાં ટાંકણી બળાઈ તે અને આખા દરિયાનું પાણી, આ બેનું આંતરૂં વધારે છે કે આ ત્રણે કાળના મોક્ષના જ ને નિગદના સોયના ભાગના જીવોનું આ આંતરું વધારે છે? પાણી કરતાં મોક્ષમાં જનારા જીવ ને નિગોદનું અનંતગણુ આંતરું છે. તે સિદ્ધના જીવો વધી જશે, સંસાર ખાલી થઈ જશે, એ શંકાકાર કેવો? આ જગ્યા પર દરદીને જે ગરમ ભોજન અપાય તે લેહી પડે, ઠંડુ અપાય તો વાયુ થાય. અતીન્દ્રિય પદાર્થ માટે શાસના વચન માનવા તૈયાર નથી, તેવા મિથ્યાત્વના દરદીને સંસાર ખાલી થવાની બીક લાગી. સંસાર ખાલી થઈ જાય તો તારે નાવા જવાનું ખરૂં? માન કે તિર્યંચ નરક દેવગતિમાં કેઈ છવ ન રહે તો તને અડચણ શી? બધા મોક્ષે જાય તો શું? એકલો પડી જવાને ડર છે? દરેક જીવ સાધુ થઈ જાય તો વહોરાવે કેણ? આખું જગત મોક્ષે જાય તો તને અડચણ શી? બધા જીવતા રહેશે ને કેઈમરશે નહીં એવું ધારવામાં અડચણ કેને આવે? કાયટિયાને. જેને મરણ ઉપર જ આજીવિકા હોય તેને બિચારાને મુશ્કેલી પડે. તેવી રીતે સંસારના કીડાઓને એમ થાય કે બધા ક્ષે ગયા તે હું એકલે બાયડી છેકરા વગર રખડી મરીશ. હું તે કાળા પાણીની સજા પામવાને, બધા જીવતા રહેતા કાયટિયાને ઘેર કલ્પાંત. બધા મેક્ષે જાય ૧. મુડદા માટે સામાન વેચનાર.
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy