SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે નહીં. કષાયમાં યોગમાં પ્રશસ્ત અપ્રશસ્તના વિભાગ છે તેથી ચાલે, પેલામાં વિભાગ નથી તેથી ન ચાલે. મિથ્યાત્વ અવિરતિ પાપ બંધનના કારણ છે. સમ્યક્ત્વ આત્માને સ્વભાવ. બધી વસ્તુ કર્મબંધના કારણરૂપ માને, એને રેકેટ ચારિત્રમેહનીય વિરતિ ન થવા દે. સર્વવિરતિ એ આત્માનો સ્વભાવ. ભરત મહારાજને આરિસા ભવનમાં કેવળજ્ઞાન થઈ ગયું, પછી ત્યાગ કરવાની જરૂર શી? તમારો દાખલે અવળે જ પડે છે. પહેલાં વિચારો. કેવળજ્ઞાન પામ્યા પછી ત્યાગી શું કરવા થયા ? નકામાં. કહો કેવળી પણ ત્યાગી થયા છે. તમારા હિસાબે ભૂલ કરી. તમારી અપેક્ષાએ ત્યાગની જરૂર નથી. તો કેવળજ્ઞાની થઈ ત્યાગી કેમ થયા? કહે ત્યાગ એજ કેવળનો સ્વભાવ. સંસારીપણામાં રહેવું એ આત્માનો સ્વભાવ નહીં પણ કર્મકીચડનો સ્વભાવ. ભરત મહારાજા ગૃહસ્થલિંગે સિદ્ધ થયા કહ્યું. ને વલ્કલચીરી અન્યલિંગે મોક્ષે ગયા તેમ કહ્યું, તો ત્યાગીની જરૂર શી? ત્યાગ કર્યા વગર કેવળજ્ઞાન મળી શકે છે. નહીંતર શાસ્ત્રકારો અન્યલિંગ ગૃહીલિંગ સિદ્ધ કહેતે જ નહીં. જિનેશ્વરે જણાવ્યું કે–ચોરી કરનાર છૂટે, એ આશ્ચર્ય. અન્યલિંગ અને તે સંસાર રખડાવનાર અને ગૃહીલિંગ સંસાર સમુદ્રમાં ડૂબાડનાર, ચોર ચાલાકીથી છુટ્યા હતા. અન્યલિંગે કઈ -તેવા સંજોગોમાં જ છૂટનાર. ગૃહીલિંગ પણ તેમજ. આ વાત ત્રીજા શબ્દ જોડે જુ, સ્વલિંગસિદ્ધ. મોક્ષનું જે લિગ એનાથી જે મોક્ષે જાય તેનું નામ સ્વલિંગસિદ્ધ. કેવળીઓએ મેક્ષે જવાનું ચિહ્ન કયું ગયું? ત્યાગ. સ્વલિંગે જનારા સાઘુલિંગ એવું નથી કહ્યું. મુનિલિંગ નથી કહ્યું, પણ સ્વ એટલે મોક્ષે જનારાનું પોતાનું લિંગ. અન્ય એટલે મોક્ષથી દૂર રાખનારૂં લિંગ, જેનીપણું લે ત્યારે અન્યની વ્યાખ્યા થાયને? અહીં સ્વશબ્દનો ત્યાગ અર્થ કર્યો. રજોહરણાદિલિંગથી મોક્ષને માનનારા. પિતાનું લિગ કોને માને ? ત્યાગવાળાને માને. અન્યલિંગમાં અન્ય શબ્દ જુલમ દેખાડે છે. જાળી તોડીને નીકલ્યો એટલે જાળી એ માગ નથી. બીજે માર્ગ ન મળવાથી જાળી તોડી. ભલે તેમ હોય, પણ મોક્ષે તે તેઓ ગયાને? જાળી તોડીને બચવું તે કોઈ વખત બનાવ બને. તે અન્યલિંગ, ગૃહીલિંગમાં ભરોસે ક્યાંથી રહ્યો? મનથી નિઃસ્વાર્થ થઈ ગયાં છે પછી છોડીને ગયા છે. કષાય વિષયના સાધન છેડ્યા નથી. કેવળજ્ઞાન થયા પછી કષાય ને વિષયના કારણભૂત કુટુંબ પરિગ્રહ વિગેરે રાખવા તે આત્માને સ્વભાવ ન હતો. માયા મમતા કર્મનું કરેલું હતું. એવા ગૃહીલિંગ
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy