SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૭૯ મું દુઃખથી. આર્થિક દુઃખથી મિથ્યાત્વીએ ડરે છે કે નહિ? આ સિવાય તમે બીજા ક્યા દુઃખોથી ર્યા છે? નરકના દુઃખ, તિર્યંચના દુઃખો, મનુષ્યને દુઃખો, દેવતાના દુઃખે સાંભળી તમે કેટલા ડરે છો? તમે ગતિમાં થતાં દુઃખોથી હજુ ડરેલા છો. નાનું બચ્ચું એ ખાવાનું જાય, લુગડાલત્તા જાય, ઘરેણાં કાઢી જાય તે રૂએ, પણ આબરૂ જાય તે રૂએ નહિ. આબરૂમાં ના છોકરે રેતો નથી. જેમ મિથ્યાત્વીઓ પૌગલિક દુઃખથી ડરે છે, પણ સંસારની ભયંકરતા ગણે છે ? (સભામાંથી) ના જી. આપણે પણ પૌગલિક દુઃખોનો ડર ગણીએ છીએ. એક અંગૂઠે ગૂમડું થયું, પાકવા માંડયું, આખી રાત રાડ પાડીએ છીએ. દશ પ્રાણ એ જડજીવનના પ્રાણ એ દશમાને દશમો ભાગ કાયદળ, તેના કેટલા ભાગ અંગૂઠે? એમાં તે આખી રાત ઊંચા નીચા થવા તિયાર, પણ દરેક સમયે જ્ઞાનાવરણીય બાંધી ખૂદ જીવજીવનરૂપ જ્ઞાન તેનું નુકશાન કેટલું થાય છે, તેનું દુઃખ થયું? સમયે સમયે દર્શનાવરણીય, મેહનીય, અનંત વીર્યંતરાય કર્મ બાંધી રહ્યા છો, તેનું દુઃખ ભયંકરતા તમને ક્યારે જણાઈ? આ ઉપરથી સમ્યકત્વની મૂળ-જડ ઘાતિની ભયંકરતા વસવી તે છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અને અંતરાય એ ચાર ઘાતિ કર્મ આત્માને સીધી અસર કરનારા છે અને વેદનીય નામ ગેત્ર અને આયુષ્ય એ ચાર અઘાતિયાં કર્મ, જેની આત્માને સીધી અસર થતી નથી. સીધો જેને હલ્લે આત્મા ઉપર છે, તેને ડર-ભયંકરતા હજુ લાગી નથી. આપણે સમ્યકત્વમાં છીએ એમ કહેવડાવવાનું મન થાય છે, પણ પહેલા નંબરે ઘાતિની ભયંકરતા તે હદયમાં વસાવતા શીખ. તારા મનમાં ભયંકરતા ઘાતિની નથી, વસ્તુતઃ હજુ અઘાતિની ભયંકરતા છે. સામ્યકત્વ પામ્યો નથી ત્યાં સુધી અઘાતિની જ ભયંકરતા લાગ્યા કરે છે. નરકના દુઃખોથી ડરે છે. આત્માને સીધે દુઃખી કરી શકે તેવી અઘાતિમાં તાકાત નથી. એ તે દલાલ દ્વારા દુઃખ દે છે. ચાહે તો નારકીમાં અને દેવતામાં વૈકિય શરીર દ્વારાએ દુઃખ દે છે, પણ જે દુઃખોથી ડરો છે તે સીધા આત્માના ઘરાક જ નથી. એ કેના ઘરાક છે? એ દલાલ દ્વારા તેને ધક્કો દે છે. સીધે ધક્કો કેણ દે છે–એ સમજ. સીધે ધક્કો દેનાર કેવળ ઘાતિકર્મ, જ્ઞાનાવરણીય તારા જ્ઞાનને રેકે તેમાં કાંઈ દલાલની જરૂર નહિં. અંતરાય દાનાદિકને રેકે તેમાં દલાલની જરૂર નહિં. સીધે તે ધણીને પકડનાર છે. તે તમને સીધે હેરાન કરનાર
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy