SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ -આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે તે મિથ્યાત્વ છોડ્યા પછી મિથ્યાત્વી કહેવાય નહી. આ ઉપરથી ચિંગ એ પણ કર્મબંધનું કારણ છે- એમ માનવું જ પડે, મન વચન કાયાના ત્યાગની પ્રવૃતિ મિથ્યાત્વવગરની અવિરતિ વગરની કષાય વગરની પણ કાયાની પ્રવૃતિ કર્મનું કારણપહેલે સમયે બાંધ્યું બીજે ઉદય આવ્યું, ત્રીજે ભગવાયું ને જવાનું, આટલું પણ કર્મ બંધાવાનું. જીવ સ્વભાવે નિશ્ચલ સ્વરૂપ, કાયાદિકને લીધે ચંચળ સ્વરૂપ જીવ કર્મ બાંધે છે. પ્રશસ્ત-અપશસ્ત કષાયોની ઓળખાણ કષાય કર્મ બંધનનું કારણ, કોઈને પણ કષાય એ કર્મબંધ કરાવ્યા વગર રહેવાનાં નથી. કષાયની પરિણતિવાળે જે હોય તેને કર્મબંધન જરૂર થવાનું, પણ ફરક છે. એક કષાય કર્મ બંધ કરાવે ને નિર્જરા પણ જોડે થતી રહે. એક કષાય કર્મ બંધ કરાવે ને નિજેરાનું નામ પણ નહિ. કષાય એ પ્રકારના એક પ્રશસ્ત ને એક અપ્રશસ્ત, પ્રશસ્ત ને અપ્રશસ્ત બે શબ્દો પ્રસિદ્ધ છે. પણ પ્રશસ્ત કહેવા કેને ? બધા પિતાને કષા પ્રશસ્ત ગણાવા તૈયાર થાય છે કેઈ અપ્રશસ્ત ગણાવા તૈયાર નથી. સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણની વૃદ્ધિને અંગે, ત્રણના ઉદ્દેશથી થતા કષાય તે પ્રશસ્ત કષાય. મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિને અંગે કષાયો તે અપ્રશસ્ત કષાય. આ વાત સમજ્યા છે તે આગળ ચાલીએ. જેમ વધારે પ્રશસ્ત કષાય તેમ વધારે નિર્જરા. જિન શાસન કષાય ટાળવા માટે. પણ ફળ તરીકે પ્રવૃત્તિ ' તરીકે નહિ. પ્રવૃત્તિ તરીકે કષાયને ઉભુ કરનાર જૈન શાસન, ફળ તરીકે કષાયને નિમૂળ કરનાર જૈન શાસન, પ્રવૃત્તિ તરીકે નહિ. કેવી રીતે ? આત્માના આટલા ગુણે આટલા અવગુણ એ કોણે જણાવ્યું ?જન શાસ્ત્ર. ત્યારે આત્મગુણ તરફ પ્રીતિ, અવગુણુ તરફ અપ્રીતિ થાવ છે. ગુણ અવગુણ જણાવ્યા ન હતે તો ? મિથ્યાત્વ અવિરતિ કેણે જણાવ્યુ? શાસ્ત્ર આને ન જણાવ્યું હતું તે છોડવા કટિબદ્ધ થાત? આ વાત તે રહી ગુણ અવગુણની. હવે ગુણી ઉપર આવો. જિનેશ્વર મહારાજે શુદ્ધ દેવ ગુરુનું સ્વરૂપ ન જણાવ્યું હતું, અઢાર દોષ રહિત હોય તે સુદેવ ને કુદેવ તે હથીયારવાળા હોય, તે સુદેવ તરફ રાગ કરવાનું કારણ થતું? કુદેવને ત્રિવિધ વોસિરાવવા, સુગુરૂનું સ્વરૂપ પંચમહાવ્રતપાલક. શુદ્ધધર્મપ્રરૂપક હેય તે શુદ્ધગુરૂ કહેવાય, બાકીના કુગુરૂ કહેવાય. તે જાણ્યા સિવાય શુદ્ધ ગુરૂ પર રાગ થતે ખરો? ને અશુદ્ધ ગુરૂ પર અપ્રીતિ થતે ખરી?
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy