SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ દ્વારક પ્રવચન શ્રેણી-વિભાગ બીજો ૨૦૩ હાર્યાના ડગલાને આ દેશવિરતિ ધર્મ છે. ભાગતા ચારની લગોટી સમાન આ દેશવિરતિ ધર્મ છે. સર્વથા સંપૂર્ણ વિરતિ નથી આવતી તો આટલી તો લાવું. એવી રીતે જે શ્રાવક નિગ્રંથ-પ્રવચનની શ્રદ્ધા પ્રતીતિ અને રુચિવાળા થાય, તે આણંદશ્રાવકની માફક સમ્યકત્વરૂપ સીડીના ત્રીજે પગથીએ આવી ગયા છે. ગણધર મહારાજા કહે છે કે પહેલું પગથીયું નિર્ગ-પ્રવચનને અર્થ ગણે, બીજુ પગથીયું પરમાર્થ ગણે અને ત્રીજું પગથીયું નિશ્વ-પ્રવચન સિવાય બધું અનર્થ ગણે, બલકે જુલમગાર ગણે. તમે સમ્યકત્વની સીડીમાં છે કે નહિ એ બીજાને ન પૂછશે. તમારા આત્માને પૂછશે કે–ગણધર મહારાજાએ ત્રણ પગથીયા જણાવ્યા છે તે ત્રણમાંથી યે પગથીએ છે? નિગ્રંથપ્રવચન અર્થ પરમાર્થ તે સિવાય જગતની બધી ચીજો જુલમગાર પદાર્થો છે, ભયંકર છે. સંસારના સર્વ પદાર્થના વિચારમાં જુલમની ઝાળ જુએ છે તે આ ત્રીજું પગથીયું છે. આણંદશ્રાવકે સમ્યકત્વની ભૂમિકાઓ ત્રણ બતાવી, તેમાં શ્રદ્ધા પ્રતીતિ રુચિ અગર અર્થ પરમાર્થ અને અનર્થ એ ત્રણેમાં કઈ પર તમે છો. અથે પરમાર્થ અને શેષ અનર્થ એ ત્રણ પગથીયાં તમારા બુદ્ધિ પથમાં આવશે ત્યારે તમે કઈ જગો પર છે એ માલમ પડશે. અમે ૧૮ હજાર શિલાંગમાંથી ૧૭૯૯૯ ભાગે શિયળ પાળીએ ત્યાં સુધી અમે દેવાળીયા છીએ, અને કાળા, મહેલમાં તે ચારજણ કેમ પેઠા તેને ખૂલાસે આપે આપ થઈ જશે. ધર્મના આચરણ કરવાવાળા કાળા મહેલમાં બેઠા છે. હવે અહીં માલમાં પડશે કે–ત્રણ ભૂમિકા આણંદશ્રાવક અથવા ગણધર મહારાજાએ કહેલી છે, તેનો અર્થ સમજશો એટલે કહેશે કે આ કાળા મહેલમાં બેસનારા બરાબર બેઠા છે. તમે પણ સામાયક ઉચ્ચરો છો. સાવ નો વરવામિ એટલે સાવદ્ય પાપવાળા વ્યાપારનો ત્યાગ કરું છું. મન વચન કાયાથી ન કરું અને ન કરાવું. આ સામાયિકમાં પ્રતિજ્ઞા લે છે, તેના પહેલાના ટાઈમમાં સાવદ્ય કામ કર્યું હોય તેથી પાછા હઠી જાઉં છું, નિ છું, સભા સમક્ષ અને ગુરુ સમક્ષ નિંદન જાહેર કરું છું અને પાપમય આત્માને વીસરાવું છું. તેણે મન માં ન આવે ત્યાં સુધી ત મતે પરિક્ષામાં બોલવાનો હક ? ભૂતકાળના પાપકાર્યને અધમ ન માને તે કોનું નિદાન કરે છે? કોનું ગહણ કરે છે? એ પાપ હતું તેથી જ એ પાપમય આત્માને સરાવું છું—એમ બોલ્યા. એ શ્રાવકો ત્રણ પગથીયા સમજેલા હતા. શુદ્ધ બાર વ્રત હોવા છતાં
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy