SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ પ્રવચન ૭૬ મુ જ હાય, ખાવાની ચીજ પાતાના ઘરની હોય છતાં શરીરની સ્થિતિ આપણા કાબૂમાંથી ગએલી હાય, તે જયાં સુધી કાબૂમાં ન આવે ત્યાં સુધી દાટર કહે તેવા જ ખારાક ખાવા પડે. જોકે દાક્ટરની ગુલામી કરવા બેઠા નથી, દાફ્ટર આપણા માલિક નથી. તેમ છતાં તેની આધીનતા. કાયા આપણી છતાં તેની વ્યવસ્થા કરવાની લાયકાત આપણામાં નથી. કાયા આપણી છતાં સદુપયોગ કરવા માટે દુરૂપયોગના ગેરફાયદાથી રાકવાની તાકાત આપણામાં નથી. કયાં રહેવું સૂવુ ખાવુ’ એ બધું એની સલાહ પ્રમાણે આપણે કરીએ છીએ. એવી રીતે આપણા આત્માના માલિક આપણે હાવા છતાં ગણધર તીર્થંકર આચાયૅની આપણી માલિકી નથી, છતાં દાક્ટરની આધીનતાની માફક આપણા આત્મા આપણે આધીન નથી. આ જીવ વૈદ્ય પાસે કુપથ્ય સમજે છે, પોતે કુપથ્ય માને, છેાડવાની ઇચ્છા પણ રાખે પણ. રસેાડામાં ઘૂસે નહિ, કુપથ્યને દેખે નહિ ત્યાં સુધી આ! બધું ડહાપણ રહે છે, પણ રસેાડામાં પેઠા ને લગીર ચીજ દેખી ત્યાં ડહાપણુ ઉડી જાય છે. વૈદ્યના વચને વિલપ પામે છે. સગાંની શિખામણુ છેાડી દે છે. તરત ખાવા તૈયાર થાય છે. આ ચાર આંગળની જીભ ઉન્માર્ગે ગમન કરાવે છે. જ્યાં આપણે આપણા હિતને જાણી શકીએ છીએ, આચરવા માંગીએ છીએ, તે પ્રમાણે કરવા દેતી નથી. એવી રીતે ઘ્રાણુ ચક્ષુ શ્રોત્ર પાંચ ઇંદ્રિયા માટે તપાસી લ્યો કે આપણી દશા શી થાય છે? આપણું ધારેલું માનેલુ કયાં જાય છે ? એક છવાઈંદ્રને આધીન થનારની આ દશા થાય તા પાંચે છિદ્રાને આધીન ને મન માકડાને પણ આધીન થાય તા? પાંચે ઈંદ્વિચાને આધીન હાય તે। હજુ સારૂં' છે, પણ મનને આધીન થવુ તે તે મન મળેલા પદાર્થ માત્રમાં જ રહે તેવુ નથી, એ તા મળી ગયાની મળતાની ને મળવાની પણ વાતા રાખે, તે તેને વાંદરૂ ન કહીએ તે શું કહીએ ? ઇંદ્રિયા ફક્ત મળતામાં લાભાય, મન તા ત્રણે કાળમાં મળતામાં લાભાય છે. એવાનાં પૂછડે આત્મા બંધાય તા કઈ દુર્દશા ન પામે? પાંચ ઇંદ્રિય ને છઠ્ઠું મન સિવાય કાઈ જગતમાં રખડાવનાર છે? ચૂસાએલુ' લેાહી ક્રૂર ઉભું થાય પશુ હાડકાં ચૂસી લેવાય ત્યાં શુ રહે? એવી રીતે આત્માના નીતરાગ આદિ ગુણાને ચૂસી લેનાર પાંચ ઈંદ્રિય ને છઠ્ઠું મન છે. એ છ સિવાય આત્માને ચૂસી નાખનાર કેાઈ ચીજ નથી. તેા કષાય વિગેરે કમ ખંધાવનાર નહીંને? બંધાવનાર છે પણ તેનું દ્વાર આ ઇંદ્રિયા અને
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy