SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૭ મું બળતું ઘર તે કૃષ્ણાર્પણ કરો બંધુજને બંધન, બીજાં બંધને શરીરના પરાક્રમથી તૂટી શકે છે, પણ આ બંધુનું બંધન તેડવું ઘણું મુશ્કેલ છે. છોડીને જવું છે, હું અને એ કોઈ કાળે મળવાના નથી, આવું નકકી થયું છે. મરણ વખતે હવે અમે મળવાના નથી, આ બધું જાણે છે, છતાં પણ બળતું ખોયડું કૃષ્ણાર્પણ થતું નથી. રાજીનામું દઈ નીકળે તે સાજાં ઘર કૃષ્ણાર્પણ. આ તે બળીને ખાખ થયું હવે તો કૃષ્ણાર્પણ કર. દાકતર – વૈદ – કુટુંબીઓ પોતે સમજી ગયા છે, કે મરવાના છીએ. હવે તે સિરે સિરે કર, આના જેવું બંધન કયું? કે મરતાં પણ આ બંધન ગુટતા નથી. લાકડાના સેઢાના બીજા બંધન તોડી શકાય પણ આ બંધને મરતાં મજબુત થાય. છોકરો બજારમાં જતો હતો, પડયો, વાગ્યું, રેયો ન રોયો, જયાં માબાપે દેખ્યો એટલે રોવા મંડી જય, શું થયું? એ વખતે પિક મૂકે છોકરો સમજતો હતો કે બજારમાં રોઉં તો બાપ સાંભળે! કોઈ સાંભળે ત્યાં રૂવે ન સાંભળે તે છોકરો પણ રોતે નથી. મરી ગયાની મોકાણ કોને સંભળાવીએ છીએ? મરનાર તે સાંભળતો નથી. છોકરી રડે તે ઘેર સૂતક નહીં છતાં કાળા કક્ષાઇ જાય છે. એ રૂવે. આવ્યા હોય તેને સંભળાવે. જીવ જન્મ્યો ત્યારે જજમેન્ટ આપ્યું છે. રોવું ચાહે ઉભા પગે કે આડે પગે જઉ તે પણ રોજો. સંસારમાંથી ત્યાગ કરી ઉમે પગે જાઉં તે પણ એને છોડીને જવું તે પણ રોજો. આડે પગે મરી જાઉં તે પણ રોજો. મર્યાની બેકાણના સમાચાર મળ્યા તો રોવા માંડયું મરનારની પાછળ જે મોકાણ માંડે, કાળજામાં ખૂબ લાગ્યું હોય, રોઇને આંખ ખૂવે પણ પેલો સાંભળતો નથી. આથી છોકરા કરતાએ આપણે ગયા. છોકરો તે સાંભળનાર છે ત્યાં રહે છે. તમે પેલો સાંભળતો નથી તેની આગળ પણ રહે ૩vજે રિત જંગલમાં રોયા તે શું વળે? નિરૂપાય વસ્તુમાં રેવું શું? એવા મેહમાં મુંઝાઈ ગયા છીએ કે જેમાં દાખીએ, દાઝીએ, દવા હોય તો પણ લગાડવી નથી તેમ અહીં પણ એ સ્થિતિ છે કે જાણીએ છીએ કે મર્યો, એ સાંભળતા નથી, જો નથી, પાછો આવવાને નથી. રોયા કંઇ વળવાનું નથી પણ દુનીયાની ટેવ પડી છે કે નકામા પણ રોવું તે ખરૂં. ડુંગળીની ટેવ છે કે માણસ હોય તે પણ દુર્ગધ ફેલાવે ને ન ોય તે પણ દુર્ગધિ ફેલાવે. તેમ મળવાનું છે કે નહિ, તે જોવું નહિં. ધમાલ મચાવવી એટલો જ ધંધો. મરતાં પણ બળેલું બેડું કૃષ્ણાર્પણ કરતા નથી. એટલું પણ થાય છે? મર્યા પછી પણ સંતોષ વળતો નથી. દરેક જીવ જાદા છે. દરેકના કર્મો પણ જુદા જુદા છે. દરેકના કર્મ પ્રમાણે જન્મ-મરણ થાય છે. મારા અને તેના કર્મ જુદા છે. કર્મને અનુસારેજ પરભવમાં પણ ઉત્પત્તિ થાય છે. આ બધી મેહની
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy