SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૪૮ મું ૪૫૧ નહીં, અંધારૂં, શીતળતા જાય ત્યાં જ અગ્નિ હાય, અગ્નિથી અંધારૂં કે શીતળતાને અભાવ જણાય પણ પહેલો અગ્નિ હોય તે. ક્યા ગુણવાળે ઘર્મ પામે? તેમ ધર્મ જેને પ્રાપ્ત થયું તેને ૨૧ ગુણ આવી ગયા છે, ૨૧ ગુણ આવ્યા વગર ધર્મ હાય નહીં, આપણે એકવીસ ગુણ પહેલાં જોવાનું કહીએ, અંધારું હોય ત્યાં દીવો હોય જ નહીં, તમારી ક્રિયા હોય, એક નવકાર ગણે તે ૨૧ ગુણ છે. મૂળધર્મ આવે ક્યાં? ૨૧ ગુણ હોય ત્યાં. એકવીસ ગુણે ન હોય તે ધર્મ આવે જ નહિ, તેમાં અક્ષુદ્રતા ગુણ પહેલે. તે જેને ખાવું, પીવું, પહેરવું છે, જેને આ ભવનું બધું જ્ઞાન છે, પરભવની બુદ્ધિ ક્ષુદ્રતામાં કયાંથી આવે? મારૂં કલ્યાણ થશે તે અક્ષુદ્રતા ન હોય તે ધર્મમાં રત્ન-બુદ્ધિ ન આવે. નાના છોકરા મહારાજને વહોરાવે તે તેને તુછબુદ્ધિ નથી, તેથી વહોરાવે છે, નહીંતર મા ન મેલતે. દેરાસરે જા, તે રમવા ન ગયે ને દેરે ગમે તેટલી અક્ષુદ્રતા છે, અક્ષુદ્રતા તો ઠેઠથી થઈ છે. તમારે દુનીયાની અક્ષુદ્રતા લેવી છે, વાત ધરમની ચાલે છે, તમારે દુનીયાની વાત લેવી છે, નહીંતર પત્થરથી મૂર્તિમાં દેવબુદ્ધિ કેમ કરતે? એક પત્થરના ટુકડામાં ભગવાનની બુદ્ધિ ધરાવે, તે અક્ષુદ્રતા વગર કેમ માને? તમારા જેવા અમે માણસ આ વેષમાં ગુરુ, શાથી માન્યા? અક્ષુદ્રતા ગઈ તે ? કેટલાક ગુણનું સ્પષ્ટીકરણઃ અનાદિના સંસ્કાર કોઈનું લેવામાં રાજી, તે જગે પર બીજાને દેવામાં રાજી, આ ભવનાં પ્રત્યક્ષ ફળ છોડી, પરભવના પરોક્ષ ફળ માટે જે પ્રયત્નો તે અક્ષુદ્રતા હોવાથી જ. એમ એકવીસ ગુણમાં પંચેન્દ્રિય સપૂર્ણ ન હોય, તે ધર્મને વિચારે નહીં, તે સાંભળે ક્યાંથી? વિચારે કયાંથી કરવાની બુદ્ધિ કરતે ક્યાંથી? સૌમ્ય ન હોય તે તમે કહે કે ભગવાનને પગે લાગ! તેમ કહેતાંની સાથે જે ભગવાનને પગે લાગે છે. તો તેટલી સૌમ્યતા છે તેથી જ પગે લાગે છે, પૈસે વહાલે હતા તે તમારા કહેવાથી સૌમ્યતા હોવાથી સાંભળી ખરચે છે. જે વખતે લોકપ્રિય હોય તે વખતે ધર્મ પામે, તે બીજા પાસેથી સાંભળી ધર્મ પામે છે. ધર્મ પર પ્રેમ થયો ત્યારે ગુરુ કે માબાપે કહ્યું. લોકપ્રિય હતા ત્યારે કહ્યું. કાંઈક
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy