SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ४०० આગમ દ્વારક પ્રવચન શ્રેણી મત્ર બેલે, જય મંગલ શબ્દ બોલવું આમ લીધું તેમ અહીં નાં રે નયે વિંટે, ત્યાં જયણ શબ્દ બોલી ચાલવું તેમ અર્થ નથી પણ તવ જયણા કરવા ઉપર છે. હવે જ્યણા કરવાની શી રીતે ? કોઈ પણ પ્રકારે જીવની વિરાધના ન થાય, મારો પીંડ પાપે ભરાય નહિ, એ બુદ્ધિપૂર્વક જીવની રક્ષાના પ્રયત્ન કરવા માટે જે પ્રવૃત્તિ કરવી તેનું નામ જણા. શાસકારે પઢમં રાખે તો રથા જે જણાવ્યું. તે જ્ઞાન સિવાય બની શકતું જ નથી. અહીં છ કર્મગ્રંથોનું, ક્ષેત્રસમાસનું કે સંગ્રહણીનું જ્ઞાન ઘાલી દીધું નથી. અહીં જીવ, અજીવનું જ્ઞાન, આ બે જ પદાર્થનું જ્ઞાન હોવું જોઈએ, તેથી જીવની હિંસાને વર્જવાની બુદ્ધિ હેવી જોઈએ. તેથી જોડેની ગાથામાં કહ્યું કે—જે મનુષ્ય જીવને તથા અજીવને જાણશે ને બન્નેને જાણનારે સંજમ જાણેજ જે દયામાં પ્રવર્તનારો છે, તે જ્ઞાનવાળે જ છે, દયા છે ત્યાં જ્ઞાન છે જ. જે જીવસંબંધી, અજીવસંબંધી, જ્ઞાન ન હોય તે દયાની બુદ્ધિ થાત જ નહિ. જે દયા કરે છે તે જ્ઞાન, દર્શન લઈને બેઠે જ છે. આ જ્યણાને અવકાશ ક્યાંથી આવ્યો? રખે જીવ ન મરે, એ બુદ્ધિ કયાંથી આવી? જીવને જાણ્યા વગર જયણું નહીં કરે, માટી, મીઠું, હવા, અગ્નિ, વનસ્પતિ, કીડી, મંકડી, જીવ કહેવાય. તેની વિરાધના ન થવી જોઈએ, એ લીલું પાંદડું દેખી પગ ન મૂકે, જયણ શાથી કરે ? જીવ માને છે, જ્ઞાન, દર્શન, શી રીતે અહીં નથી? જયણા કરનાર હોવું જોઈએ. જીવ મરી જાય માટે ન કરૂં, એ બુદ્ધિ હોવી જોઈએ. કાર્યકારણને જણાવે છે: - જ્ઞાન વગર શું ભલું થાય તેમ કહેનાર કેટલાક હોય છે. મિથ્યાત્વી તે બેલે પણ આપણા સમ્યકત્વી ગણાતા બેલે છે કે જ્ઞાનવગર નિષ્ફળ છે, પણ જયણા થવી જ જોઈએ, એ બુદ્ધિ થાય તેને જ્ઞાન આવેલું જ છે. ફળ હતા પણ ઝાડ ન હતા તે શી રીતે? શાસકારે કહ્યું છે કે ૧ વિઘા રંપરા ના સમ્યકત્વ થયું એટલે જ્ઞાન છે જ, જીવાદિકનું જ્ઞાન થયું ત્યાં સમ્યકત્વ છે, જ્ઞાન વગર ચારિત્ર ગુણ ન હોય, તે જ જયણા ગુણ જ્ઞાન અને દર્શન, સાબીત કરી આપે છે. જ્યાં ચારિત્ર છે ત્યાં દર્શન અને જ્ઞાન છે જ, આ વાકયને આમ લેવાય છે કે, પ્રથમ જ્ઞાન, પછી કિયા. પણ મહાનુભાવ! જે જીવની હિંસામાં પાપ માનનાર ન હોય તે “રખેને હિંસા થઈ જાય તે ડર ક્યાંથી આવ્યો?
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy