SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૩૮ મું ૩૫૧ તે બાળકને અને બચાવ ન ચાલે તે ત્યાં અજ્ઞાનપણને બચાવ ચાલતો નથી. જ્ઞાન નથી તે જ ગુન્હ છે. શા માટે અકામનિર્ભર ન કરી, ઉંચે કેમ ન આવ્યું ? પિતાની ભૂલથી આવેલું પરિણામ એ બચાવ નથી, જ્ઞાનાવરણીય એવા દરેક ભવે એણે જ બાંધ્યા છે, જીવત્વ તરીકે જ્ઞાનને અધિકારી છે. ત્યાં સાધન નથી તો મેળવવું જોઈએ, ઘણાએ સાધન મેળવી ઉંચા આવ્યા છે. નિર્ધનને ત્યાં હેરાન થાય, એ દરિદ્રતામાં હેરાન થાય, તો ધન મેળવવાનો વખત નથી આવ્યો. તો હેરાન શાથી થાય છે? કહેવાનું તત્ત્વ એ છે કે, સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવ હિંસાદિક પાંચ પાપ કરતા નથી, છતાં પાંચે પાપોથી ભરાય છે. આપણે એ વમળમાં ન ઘુસી જવાય તેમ ડરીએ છીએ, પણ એ વમળ અવિરતિની જોડે છે, એ વમળમાં શાના લીધે રહ્યા છીએ ? એકેન્દ્રિયપણુમાં સૂક્ષ્મમાં શાથી રહ્યા છે ? માત્ર એની વિરતિ ન ક્યને અગે, જે સંબંધી અમારું મન નથી, વચન-કાયા નથી, અમે સુતા છીએ, ઊધીએ છીએ, જાગતા કદી વિચાર ચાલતો હોય, નથી મન, નથી વચન, માત્ર કાયા છે તેમાં અમને કરમ લાગે, આને પરાણે વળગાડવા હોય તો વળગાડે, અમારું મન-વચન ને કાયા નહીં ને વળગાડે એમાં નવાઈ નહીં, ચમકી ન જા. અહી ગુમડું થયું. તું સુઈ ગયે, હવે આમાં રસી ભરાવાનું, મન, વચન, કે કાયાનો ઉદ્યમ છે નહિં, છતાં રસી ભરાય છે, તારી કાયામાં મન, વચન, કાયા વગર શું થાય છે તે વિચાર, રસોળી વધારવાનું મનવચન-કાયામાં ન હોય છતાં તે વધ્યા જ કરે છે. કહો કે અંદર સંચો બગડ્યો હતો, તેણે બગાડ શરૂ કર્યો, તેમાં જે બગાડ આવે તેમાં એનો ભાગ જાય, બગડેલા ભાગમાં બગાડ થયા સિવાય રહે જ નહિં. તેમ આત્મા જ્ઞાન વગરનો શાથી? એ કૈવલ્ય વીતરાગ સ્વરૂપ કેમ નહિ ? કહે તેમના આત્મામાં, અવિરતિ, મિથ્યાત્વ, કષાય વિગેરેનો વિકાર છે, તેમાં મન, વચન-કાયાના પેગ વિકાર વૃદ્ધિ કરવાના, જડ ઉખેડી કાષ્ટિક નાખીને, બાળી ન નાખીએ ત્યાં સુધી એ વિકાર વધ્યા જ કરે. તેમ આત્મામાં મિથ્યાત્વ, અવિરતિનો વિકાર ન ફેકી દઈએ ત્યાં સુધી અવિરતિનું પિષણ થયા વગર રહે નહિં, આ સ્થિતિએ સૂક્ષ્મ એકેન્દ્રિયો પણ સાત આઠ કર્મો બાંધ્યા જ કરે છે, મૂળ ધણુની મરજી ઉપર આધાર ન રહે. શરીરમાં રહેલે આત્મા “ગુમડા મટાડું' કહેવાથી, બોલવાથી, બીજા, ત્રીજા પ્રયત્નોથી ગુમડાની રસી બંધ ન રહે, તેમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy