SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ આગમ દ્વારક પ્રવચન શ્રેણી નાપાસ થાય. તેમ ધર્મોપદેશ સાંભળતી વખતે દુર્ગતિને રસ્તો એક પણ ન લઉં, બધા અભિપ્રાય થાય પણ ઠેઠ નિશાળીયાને અભિપ્રાય કલાસ પૂરતો હતો. કલાસમાંથી ઉો કે ગઠીયા સાથે રમવા ચાલ્યું, તેમ ગુરુ મહારાજે સદ્દગતિ અને મેક્ષ પ્રાપ્તિને ઉદ્યમ કહ્યા હતા તે વ્યાખ્યાન સુધી અંતઃકરણમાં રહે. ઠેઠ નિશાળીયાને લેશન કરવાનું કહેનાર કડવો ઝેર લાગે. તેમ આપણે પણ ધર્મ કથામાંથી ઉઠીયે, પાપમાં પ્રવતીએ ત્યારે હિતૈષી કહે–કેમ મહાનુભાવ! મહારાજે કહ્યું તે ધ્યાનમાં નથી? આમ કહે તો કડવો ઝેર લાગે, તેમ ધર્મ સ્થાનકના અભિપ્રાયે ત્યાં જ રહે છે, બહાર તેમાંના કશા અભિપ્રાય રહેતા નથી. આવા ઠોઠ નિશાળીયા જેવા દુર્ગતિમાં રખડે તેમાં નવાઈ શી? વિદ્યાથીને પાસ થવું, તે પિતાની મહેનત-ચીવટને આભારી છે. દરેક પાસ થવાની ઈચ્છા રાખે છતાં દરેક પાસ થઈ શકતા નથી, તેમાં માસ્તર કે ડેપ્યુટીને વાંક નથી. તેમ શાસ્ત્રકારે સર્વને અગે સરખો ઉપદેશ આપે છે, સગતિ માટે આવા રસ્તા લેવા જોઈએ, આ બધું કહ્યા છતાં જેઓ ધર્મકથામાંથી ઊઠી ગયા પછી રમતિયાળ ઠેઠ વિદ્યાર્થી માફક કરે તે શ્રેતા સગતિ ન પામે, તેમાં શાસ્ત્રકાર કે ઉપદેશકેને લવલેશ પણ દોષ નથી. શ્રેતા માંથી જે ભાગ દુર્ગતિએ જાય તેને દેષ શાસ્ત્રકાર અને ઉપદેશકને લાગે તે તેમણે કરેલ ઉપદેશ ક્યાંઈ તણાય જાય, તેમને સદ્દગતિ થવાને વખત ન આવે. ઠોઠ અભ્યાસ ન કરે તે માસ્તરને ઠપકે દેવાતું નથી, તેમ ઉપદેશકો સદગતિ માટે ઉપાયે બતાવે છે. તેને અમલ ન કરે તે શાસ્ત્રકારને દેષ નથી, જીવ દુર્ગતિના ઉપાયથી દૂર રહે, સગતિના રસ્તે ચાલે તેવાને ચક્કસ સદ્દગતિ મળે. આ વસ્તુ જણાવવાનું કારણ એક જ હતું કે મનુષ્યપણું તમારા વિચાર કે યત્નને આધીન ન હોય તે મનુષ્યપણું મુશ્કેલ છે, તેનું ફળ કઈ ન હતું, મનુષ્યપણું તમારે આધીન છે, તે મેળવવું હોય તે તમારે મનુષ્યપણાને લાયકની રીતિમાં પ્રવર્તી કરવાની જરૂર છે. મનુષ્યપણું ધર્મને પામે છે, મેક્ષની નિસરણું છે, વિવેકનું એક જ સ્થાન છે. ઉનાળામાં આપણે કઈને કહી દઈએ કે–ચંદ્ર એ કંડે છે, એ અહીં આવે તે ઉકળાટ, ગરમી, ઘામને છાંટે ન રહે, વાત સાચી પણ ચંદ્રમાને લાવવાને ઉપાય? જે લાવવાનો ઉપાય
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy