SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ આગમ દ્ધારક પ્રવચન શ્રેણી ચારિત્ર નહીં પામે તે પણ તમારા આત્માને મોક્ષ માટે ઉદ્યમ કરે પડશે. મહાનુભાવ! ધર્મરત્નને વખત ઘણે મુકેલ છે, માટે ધર્મરત્ન પામે છે તે તું સફળ કર, ઉદ્યમ કર, તે શી રીતે કરે ? હીરે હોય તે સેનામાં જડી પહેરાય, હાડકામાં ન જડાય. તેમ ધર્મ આત્મારૂપી સેનામાં મૂકી કુંદને ઘડ, હાડકારૂપી શરીરમાં એ ધર્મરત્ન ન જડાય. હવે તેનો ઉપયોગ કેમ કરે તે અગ્રે વર્તમાન. વ્યાખ્યાનને સારાંશ—૧ વર્ષ ના તો રયાની સચોટ યથાર્થ વ્યાખ્યા. ૨ ભવિતવ્યતાના ભરોસે કયાં સુધી રહેવું ? પ્રવચન ૩૧ મું ૧૯૯૦ શ્રાવણ સુદી ૭ શુક્રવાર મહેસાણા વિચારશન્ય આત્મા કોને કહેવાય? : - શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્વ પ્રકરણ ગ્રંથને કરતાં થકાં સૂચવી ગયા કે, જગતમાં જેઓને વિચાર નથી, તેઓને માટે ઊભા રહેવાનું વાસ્તવિક નથી. વિચાર વગરને મનુષ્ય છે એમ કહ્યું તે ખલાસ. ખાય, પીયે, હરે, ફરે, પણ પાંચની અંદર જે એ નિર્ણય જાહેર થયે કે અમુક માણસ તે વિચાર વગરને છે, મૂર્ણ શબ્દ ડાહ્યા પુરુષે ન વાપરે, ગતાગમ નહીં કહ્યા પછી શરીરે સુંદર હોય, મજબૂત હોય, લુગડાં સારા પહેર્યા હોય, ઊંચા કૂલમાં જન્મ્યા હોય, પણગતાગમ નથી-વિચાર શુન્ય છે, તેને માટે બીજો શબ્દ જોઈત નથી. છેલ્લામાં છેલ્લી દશા વિચારશૂન્ય ગણવામાં આવે એટલે ખલાસ. શું એ ખાય તે ગળ્યું હોય તે ગળ્યું નથી લાગતું? ટાઢ, તડકે શું તેને નથી લાગતા ? પાંચે ઈદ્રિયોના વિષયમાં પ્રવર્તે લે, તેમાં નિપુણ છતાં વિવેક વગરનો હોવાથી વિવેકશૂન્ય કહે છે, વર્તમાન વિષયમાં ગતાગમ ન રહી. વિષયના પરિણામમાં ઓઢવું હરવું ફરવું દેવું લેવું તેનું પરિણામ શું આવશે તે વિચારે તેનું નામ વિવેક. જેને ગતાગમ નથી તેને પણ વર્તમાનને વિચાર રહેલે જ છે, ત્યારે કહો ! વર્તમાન વિચારથી વિચાર સહિતપણું આપણે કહેતા નથી.
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy