SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧લું હોય તે લઈ શકે. માતા બરફી લેવાની ના પાડે તે બડું પણ માતાના ભરોસે બરફી છોડી શકે છે. આમ છે છતાં આ જીવ તીર્થકર મહારાજના ભરોસે વિષયો છોડી શકતો નથી. જે તીર્થકર મહારાજ ઉપર ભરોસો હોય તે વિષયો છોડી દે. છોકરું એનું પીરાલ સમજતું નથી પણ માના ભરોસે વગર સમજણે પણ બરફી છોડી કલ્લી પકડી લે છે. તેવી જ રીતે આપણે તીર્થકર ભગવાનના તથા ગણધર મહારાજના ભરોસે વિષયોને છોડી દઈએ તે પણ લાભ જ છે. આપણને હજુ તીર્થકરાદિક ઉપર જોઈએ તેવો ભરોસો બેઠો નથી. કેમ ભરોસો નથી બેઠો? તેના ઉત્તરમાં સમજવાનું કે આપણે એમના ગુણને, એમની પવિત્રતાને, અને એમનાં પરોપકારિપણાને અંગે ધ્યાન પૂરું દીધું નથી, એમના કહેવાની ખાતર પણ વિષય છોડી મોક્ષ તરફ પ્રયાણ કર્યું હોત તો સંસાર ભ્રમણા મટી જતે એ ચેકસ વાત છે. મોક્ષની ઈચ્છા કયારે થાય ? વળી એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે “મનથી મોતીના ચેક પુર્યા કંઈ વળે નહિ.” પણ જૈન શાસન એવું પ્રભાવિક છે કે તમે મનથી ચોક પૂરો તેટલું મનથી સાક્ષાત આપે. તમે મનમાં ચિતો. આ વાત ધ્યાનમાં લેશો ત્યારે જે શાસ્ત્રકારે જણાવ્યું કે એશને વિચાર કોને હોય? તેના ઉત્તરમાં સમજવાનું કે મોક્ષે જવાવાળાને જ હોય, બસ મા જવાનો વિચાર કરો એટલું જ કામ. અમને મોક્ષ મળે એટલો વિચાર કરે એટલે જૈનશાસન મોક્ષ આપવા બંધાયું છે. આ વાત સીધા શબ્દોમાં કહી છે પણ માનવું શી રીતે? કારણ કે મનમાં મેતીના ચેક પુરવામાં કાચું કોણ રાખે? પણ મહાનુભાવ! મનમાં ખેતીના ચેક પૂરે કેણ? મોતી સમજે તો ચેક પૂરે. મેતીની કિંમત ન સમજે તે મેતીના ચેક પૂરે ખરો? માટે મેતીને જાણે માને અને ખેતીને માગે તેને જ મતીની કલ્પના છે. જે જાણે નહિ, જાણ્યા છતાં માને નહિ, માને છતાં માંગે નહિ, તેવાને મેતીની કલ્પના આવે ખરી? તેમ મેણા માગે કોણ? તે કે મેકા જાણે, એ છે એમ માને, એ વધુ શ્રેષ્ઠ છે, માટે મને મળવા જોઈએ તેમ ધારે, તેજ મોક્ષને મળી શકે છે. તે સિવાય જે જીવ મોક્ષને જાણતા નથી, માન પણ નથી, તે સ્વપ્નમાં પણ શા માગે ખરો? મેક્ષ જાણે, માને અને એ ઈષ્ટ ગણે તેજ મેક્ષ મળો એમ માને. આ વાતને જ્યારે લક્ષમાં લેશો ત્યારે જ શાસ્ત્રકારોએ કહયું છે તેમ “છેલ્લા પુદ્ગલ પરાવર્ત સિવાય મેળવવાને વિચાર થાય નહિ” એ વાત સમજી શકાશે. સાથsfજ જન્મ કુત્રિવત્ત વિ 'એ કથનથી સમજાશે, મોક્ષ મેળવવાને ઉદ્યમ, ત્યાગ, તપસ્યા કરવી એ તો દૂર રાખો પણ, મને મોક્ષ મળે એ આશય પણ એક પુદગલ પરાવથી વધારે સંસાર હોય તે થાય નહિ. અર્થાત મોક્ષ મેળવવાની જેને ઈચ્છા થઈ તેને એક પુલ પરાવર્તથી વધારે સંસાર હેય નહિં.
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy