SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ પ્રવચન ૧૧મું કરાવી દઈએ. પણ એમના સુખની પરીક્ષા તે દ્વારા થઇ શકતી નથી. પ્રથમ તો વિચારવાની જરૂર છે કે ખાવું એ સુખ છે.? જે ખાવાને સુખ માનીએ તો આડો હાથ દેવો ન જોઇએ, એ સુખ છે તે ધરાયા પછી આડો હાથ કેમ દવે? જે ખાડો પૂર તે ખાડાના દુ:ખનો પ્રતિકાર કર્યો, ભૂખના દુ:ખનો અભાવ તેને સુખ માન્યું. તરસ મટી ગઈ પછી પાણી ન પીએ કેમ?? તો કહે. વૃષાની બળતરા મટાડવી તેને તમે સુખ ગયું. ખરેખર ખાવામાં પીવામાં સુખ છે. ખાવા પીવા મંડો, આટકો નહીં. શરીરમાં તાપ ઠંડો ન થયો ત્યાં સુધી પીવામાં સુખ ગણાયું. ખણ ખાસ કેની મટી? તમને ખાવાથી પીવાથી સંતોષ થયો હવે ખાવું પીવું દુ:ખ લાગ્યું. જેને કોઠો ખાલી નથી. શરીરમાં ભૂખ તરસ તાપ નથી, તેને ખાવું દુ:ખ છે. જેને અંદર ખાલી નથી તેવાને ખાવું એ દુ:ખરૂપ, પીવું એ પણ દુ:ખરૂપ. કેટલાક કહે છે કે મોક્ષમાં બાયડીઓ નથી, રતિ નથી. આ જગતમાં વૈદ્યની કે દાકટરની દુકાને ખસ મટાડવાની દવા હોય છે, પણ ખસ કરવાની દવા હોતી નથી. તેવી દવા કેમ નથી રાખતા? જેને ખસ થાય એને ખણતા જે રમૂજ આવે તેવી રમૂજ તમને આવવાની છે? તે ખસ ન થાય તેટલા બધા કમભાગી? કેમ કમભાગી નહિ? તો ખસ ખણવાવાળ, ખસની પીડાવાળો ખણવાની જ આવે તે વખત તે કહે કે તમે કમભાગી છે. મને સુખ થાય છે. સારી ચામડીવાળાને ખણવાની મેજ મળતી નથી, માટે ખસવાળાએ બધાને કમનસીબ ગણવા જોઈએ. કહે. ખસ વિકાર રૂપ હોવાથી એ વિકારને દૂર કરવો રહ્યો. પણ મનથી માને કે હું વિકાર દૂર કરું છું પણ ખસ ખણવી તે ખટ દૂર કરવાને રસ્તો નથી. ખણી ખસ કોને મટી? પરિણામ વિચારો! ખસ ખણતા રોકે તો ચીડીયાં થાય છે. ખસ ખણવામાં કેટલી મોજ આવતી હશે કે તમને ચીડીયા કરે છે. જો કે આ બધી મૂર્ખતા છે, ખસ ખણનારો એમ ગણે કે આ મારા શત્રુ છે. ખણતા રોકનારને વિરોધી ગણે. વિકારને એને વલેપાત નથી. વલૂરવામાં વકરશે, તે વખતે સ્વપ્નમાં પણ ખ્યાલ આવતો નથી. ખસવાળાની અપેક્ષા વગર ખસવાળા નિભંગી ખરા કે? ખસ થઇ ન હોય તેને ખણવાની રમૂજ ન આવે તેમ આપણે મેહના વિકારથી વલૂરવામાં શ્રેય માન્યું. તેમાં રોકે તેં ચાર આંખે કરશું, પણ વલૂર્યા પછી પરિણામમાં શું? સિદ્ધોને સુખ શું? તેમ આ જીવને મેહને ઉદય થાય તે વખતે પરિણામ શું થાય? તેનું પરિણામ જાણે છે, પણ અહીં વિસરાઈ જાય છે. જે મોક્ષદશા સિદ્ધિદશા પામેલા તેમને બાયડી છોકરા નથીતિમને કંઇ નહીં. ખસવાળે આવું બેલ નથી. આપણે મૂર્ખ શિરોમણિ એવા કે એક તો વિકારમાં પડીએ અને વિકાર ન હોય, તેને કંઈ નહીં એમ કહીએ. આ મેહાધીન જીવો મેહની ખસમાં આનંદ માને અને સિદ્ધિના જીવોને એ ખસ
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy