________________
લઈને, યથાર્થ સમજથી, વિવેક અને શ્રદ્ધાથી આરાધવાથી સફળતા મળે છે તેવું જ્ઞાની ભગવંતોનું વચન છે. - સદ્ગુરુ અને સતુશાસ્ત્રો માર્ગદર્શક – પ્રકાશક છે, તેમનો આશ્રય અનિવાર્ય માનવો. “પોતે પોતાથી બોધ પામે નહીં.” આ જ્ઞાનીનું વચન છે તેમાં શ્રદ્ધા કરવી રહી.
સદાચારનું મૂળ સદ્વિચારમાં રહેલું છે. જેવો વિચાર તેવી પ્રવૃત્તિ થતી રહે છે. કોઈ અન્યને શાતા કે અશાતા આપવાની ક્રિયા થતા પહેલાં તે સંબંધી વિચાર અવશ્ય કરવામાં આવે છે. આમ સદ્વિચાર અતિ આવશ્યક છે. સદ્દવિચાર માટે સબોધનો પરિચય કરવો પડે છે. સદ્દબોધની પ્રાપ્તિ સદ્દગુરુ કે સતુશાસ્ત્ર વિના થતી નથી. માટે એક સાચા સદ્દગુરુનો જોગ થઈ આવે તો “મોક્ષમાર્ગ સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે.”
જીવનમાં પરિભ્રમણનો અંત થવામાં સદૈવ, સદ્ગુરુ અને સસ્તુશાસ્ત્રો નિમિત્ત કારણ છે પણ યાદ રહે કે જીવનો પુરુષાર્થ-અનુસરણ અનિવાર્ય છે. કોઈ દેવ, ગુરુ, શાસ્ત્ર જીવનાં પુરુષાર્થ વિના કાર્યકારી નથી. હા, પુરુષાર્થની દિશા જરૂર તેઓથી મળે છે પણ પુરુષાર્થ તો જે-તે જીવાત્માએ જ કરવો અનિવાર્ય છે તે ભૂલવું નહીં. સદ્દગુરુનું કામ સાબુ જેવું છે. મેલા વસ્ત્રને ધોવા માટે સાબુ સાથે પાણીનો યોગ અનિવાર્ય છે, માત્ર સાબુથી વસ્ત્ર સ્વચ્છ ન થાય, ઉલ્ટ વધુ ગંદુ થાય. જીવનો પુરુષાર્થ પાણી સમાન છે. આત્મા ઉપર પડેલા ગાઢ અનિષ્ટ સંસ્કારોનાં ડાઘ કાઢવા માટે સાબુ અને પાણીનો વિવેકપૂર્વકનો ઉપયોગ કરવાનું અનિવાર્ય છે.
આવો પુરુષાર્થ ઉપાડતા પહેલા એક બીજી બાબત પણ વિચારવાની છે, તે એ કે જીવે એક નિષ્ઠાથી, નિયમથી, પૂર્ણ શ્રદ્ધાથી, અહંકાર આદિનો અને સ્વછંદનો ત્યાગ કરીને માર્ગ આરાધવાનું કરવું. અન્યથા એ જીવ અધવચ્ચેથી માર્ગ છોડી દે તેવી પૂરી સંભાવના છે. નિર્ણય પાકો કરવો પડશે,
BACAU, Loucnx 31 BRERA